બુધવાર, 19 જૂન, 2019

દશાનન રાવણ

.... લંકેશ  જયારે કૈલાસ પર્વત સહિત શિવજી ને લંકા માં સ્થાપિત  કરવા નો પ્રયાસ કરે છે , ત્યારે મહાદેવ ની લીલા થી લંકેશ નો હાથ પર્વત  તળે દબાઇ જાય છે ...
આ પ્રેમી શિવભક્ત  જીદ્દ છોડવા તૈયાર નથી અને મોટા રૌદ્ર સ્વર માં આખુ શિવતાંડવ - સ્તુતિ રૂપ શિવ સમક્ષ રજુ કરે છે ...
ત્યારે ભગવાન ભોળાનાથ  એને  " રાવણ " નામ થી ઉદ્બોધન કરી ને શાંત રહેવા જણાવે છે ... આમ શિવજી એ " રાવણ "  નામાભિધાન  કર્યુ  એવી પૌરાણિક કથા   છે. ..

રાવણ ને  દશ માથા ... એનોટોમીકલી  સેટ થતા નથી .. હજુ નવ હોય તો ડાબે - જમણે ;  ચાર -ચાર અને વચ્ચે એક એમ ધડ  સાથે બેલેન્સ  બની રહે. ..

 જોકે , ફિઝીયોલોજી  ની દ્રષ્ટિએ  પાછી તકલીફ  રહેવાની. .
એટલે પૌરાણિક કાળ ની પ્રજા એ  રાવણ ના  આ દશ માથા  ને રૂપક  તરીકે આલેખન  કરાયુ હશે..

લોકજીવન માં ,
  " માથુ "
 શબ્દ વિશિષ્ટ  બુદ્ધિ ચાતુર્ય  તથા એ દ્વારા  ગમે એવી વિકટ પરિસ્થિતિ  માં પોતાના પક્ષે સુખદ સમાધાન  કે ઉપાય લાવનાર  વ્યક્તિ  માટે વપરાય છે. .

જેમ કે  બે માથાળો ...

રાવણ ના પિતા વેદજ્ઞ બ્રાહ્મણ  હતા જયારે માતા અને નાના નું કુળ  અસૂર  નું હતુ ...

દક્ષિણ ભારતવર્ષ  માં શાક્ત  અને તંત્ર પરંપરા  આજે પણ જોવા  મળે  છે ...

રાવણ  પોતે પ્રકાંડ - વિદ્વાન પંડિત  હતો એમ રામાયણ માં પણ ઉલ્લેખ  મળે છે .. તથા  રાવણ સંહિતા,   જયોતિષ વિષય  તથા રાવણકૃત નાડીતંત્ર  પણ આજે  પણ જોવા મળે છે ..
વેદવ્યાસ પહેલા  વેદો ને રોંજીદા  અધ્યયન માં સુવિધા  થાય એ માટે ની  વિભાગ વાર વહેંચણી  અને ગોઠવણી  કરવાનું શ્રેય  રાવણ ના ભાગે છે. ..

 વિદ્વાન - વિચક્ષણ  રાજા ના રાજય માં વૈદ્યક નો વિકાસ પણ સારો થાય છે  જેનું ઉદાહરણ સંજીવની બુટ્ટી ના જ્ઞાતા  સુષેણ વૈદ્ય  છે ..
લંકા માં  અસ્ત્ર-સશસ્ત્ર અને યંત્રવિજ્ઞાન નો પણ સારો વિકાસ  થયેલ હતો ... રાજા નો સ્વભાવ પ્રજા પર પ્રભાવ રાખે છે...

દશમહાવિદ્યા . ..

काली तारा महाविद्या षोडशी भुवनेश्वरी।
भैरवी छिन्नमस्ता च विद्या धूमावती तथा।
बगला सिद्धविद्या च मातंगी कमलात्मिका।
एता दश महाविद्या: सिद्धविद्या: प्राकृर्तिता।
एषा विद्या प्रकथिता सर्वतन्त्रेषु गोपिता।।

મને લાગે છે  કે,  રાવણે આ દશમહાવિદ્યા  ને સિદ્ધ કરી હશે એટલે એને દશાનન તરીકે ઉપાધિ  અપાઇ  હશે ..

છેક મહાભારત ના સમય સુધી. .. વ્યક્તિ ના વિશેષ ગુણદોષ ને આધારીત  એનુ પ્રજા માં  નામકરણ થઈ ને ઇતિહાસ માં અમર થઈ  જતુ  હતુ ... પૂર્વે  નક્ષત્ર પ્રમાણે નામ નહોતા રખાતા. . મેષાદિ રાશીઓ  પશ્ચિમી વિશ્વ નું પ્રક્ષેપણ છે..

આ દશમહાવિદ્યા - શક્તિ ની ઉપાસના અને  એ દ્વારા પ્રાપ્ત થતી  સિદ્ધિઓ 
 નું આધ્યાત્મિક દ્રષ્ટિએ  વૈજ્ઞાનિક વિશ્લેષણ  થી રાવણ ના દશ માથા નું રહસ્ય  સમજી શકાશે ....

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...