બુધવાર, 17 એપ્રિલ, 2019

શિક્ષણ અને અનુભવ, માતૃભાષામાં કે અંગ્રેજીમાં...?

ભાષણ ... વક્તવ્ય... બોલવા માટે જે વપરાય છે એને ભાષા કહે છે. વ્યક્તિ ને રોજીંદો વ્યહવાર ચલાવવા અને આજીવિકા મેળવવા ભાષાઓ સમજવી અને બોલવી પડે છે.

વ્યક્તિ જન્મથી જ જે ભાષા રોજેરોજ સાંભળતો આવે છે, એ ભાષા ને તે સહજ રીતે સમજી શકે છે અને સરળ રીતે બોલી શકે છે આવી ભાષાને એની માતૃભાષા કહે છે.

ભાષા એ અભિવ્યક્તિ નું માધ્યમ છે...

વ્યક્તિ જે અનુભવે છે તથા એને જે જાણ્યું હોય એ અભિવ્યક્ત કરવા ભાષા જરૂરી છે.

વિશ્વ ની બધી જ ભાષાઓમાં, વ્યક્તિને પોતાની માતૃભાષાએ એની જીજ્ઞાસાઓ, અનુભવો અને ઊર્મીઓને બાહ્ય જગત માં  પ્રભાવી રીતે અભિવ્યક્ત કરવાનું ઉત્તમ સાધન સિદ્ધ થાય છે.

માતૃભાષા હૃદય થી પ્રગટે છે અને નાભિનાદ ધરાવે છે
એ સામેવાળી વ્યક્તિ પર ધાર્યો પ્રભાવ પાડી શકે છે,
જો ઉચ્ચારણ શુદ્ધ હોય તો,
દરેક ભાષા ની વાકયરચનાઓમાં રહેલ શબ્દોનું ઉચ્ચારણ સુસ્પષ્ટ હોય તો અભિવ્યક્તિ સચોટ થાય છે
અને ઉચ્ચારણ સુસ્પષ્ટ કરવા એ ભાષાનું વ્યાકરણ,
શુદ્ધ રીતે બરાબર સમજાયેલું હોવું જરૂરી છે.

संस्कृत भाषा બધી ભાષાઓની જનની છે,
એનું વ્યાકરણ  સર્વકાલખંડમાં જરા પણ સુધારા-વધારા કર્યા વિના સમાન રીતે સચોટ રીતે લાગુ પડે છે.
માત્ર સંસ્કૃત ભાષા  પૂર્ણ રીતે જાણી લેવાય તો દુનિયાની કોઇપણ ભાષાના સામાન્ય વ્યહવારના કામચલાઉ શબ્દોના અર્થને સમજી શકાય છે. આથી જ તો સંસ્કૃત એ બધી ભાષાઓની માતા કહેવાણી છે.

સંસ્કૃત શબ્દો, અર્થ માટે એક નિશ્ચિત વ્યુત્પતિ ધરાવે છે આથી શબ્દોનો એક સમુહ બને છે જે ગણીતના દાખલાઓ જેવો હોય છે, અપરીવર્તનીય અને સચોટ...

અંગ્રેજી ભાષાના શબ્દોનું બંધારણ, એનાં અર્થ અને વ્યાકરણમાં નિશ્ચિત નિયમો જળવાતાં નથી.
આથી બોલનાર અને સાંભળનાર માટે તથા સમજવામાં અસમંજસ થયા કરે છે.

આજે ગુજરાતની પ્રજામાં બાળકને અંગ્રેજી શીખવવા તથા અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ની ઘેલેચ્છા ચરમસીમાએ છે.

અંગ્રેજી માધ્યમમાં ભણતર પુરૂ કરીને 90% વ્યક્તિઓ આજીવન પોતાની માતૃભૂમિમાં તથા માતૃભાષા દ્વારા જ આજીવિકા રળતાં હોય છે.
તો પછી...
અંગ્રેજીભાષામાં જ  ભણવાનો અતિ આગ્રહનું પ્રયોજન શું ?

આજે ઇન્ટરનેટના માધ્યમથી જીજ્ઞાસાઓ સંતોષવા, મોટાભાગની જાણકારીઓ અંગ્રેજીભાષામાં જ મોટાભાગે ઉપલબ્ધ છે, આથી અંગ્રેજી વાંચતાં અને સમજતાં આવડવું જોઈએ...
પણ  જેમ જર્મન, ચાઇનીઝ, જાપાનીઝ અને યહુદી પ્રજાએ, દુનિયાના તમામ ઉપયોગી સાહિત્યને પોત પોતાની માતૃભાષા માં અનુવાદીત કરીને ડિઝીટલ સ્વરૂપે ઇન્ટરનેટના માધ્યમથી પ્રચાર પ્રસાર માં મુકેલ જ છે,  તો શું આપણે પણ આપણી માતૃભાષામાં એવો પ્રયત્ન ના કરી શકીએ...?

આપનું સંતાન જન્મથી મોટાભાગનો સમય અને જીવન માતૃભૂમિમાં અને માતૃભાષા વચ્ચે જ વ્યતીત કરે છે આથી એ જેટલી સારી રીતે માતૃભાષા સહજતાથી સાંભળીને જાણી, સમજીને બોલી શકે છે એટલુ અન્ય કોઇ ભાષા પર પ્રભુત્વ મેળવવું એના માટે મુશ્કેલ છે.

પરમકૃપાળુ પરમાત્માએ એ જીવને, જે ભૂમિ અને ભાષા પ્રદેશ માં જન્મ આપ્યો છે  એજ ભૂમિ અને એજ ભાષામાં એની કારકિર્દી ઝળહળી ઊઠશે એવી પ્રભુની મરજી હશે,
આપણે પણ માલીક ના એ કાર્યનું સન્માન કરીને સહાયક થઇએ...


મંગળવાર, 16 એપ્રિલ, 2019

Books ખરીદવી કે પછી ડાઉનલોડ કરવી ?







માનવીને જીજ્ઞાસાવૃત્તિમાંથી વાંચન પ્રવૃત્તિનો શોખ જાગે છે,
અને એ પૂર્ણ  કરવા પુસ્તકો નુ સર્જન  થયુ હશે...

વિદેશમાં તો  પુસ્તક સંગ્રહ  અને વાંચનનો શોખ પ્રતિભાશાળી  અને સંપન્ન ( ધનવાન ) હોવાની નિશાની  માનવામાં આવે છે.
એ પ્રજામાં જીજ્ઞાસા પ્રચુર પ્રમાણ માં વારસાગત આવે છે.

પુસ્તક સંગ્રહના શોખીનો  માટે દર વર્ષે નેશનલ બુક લીગ કલેકશન  નામની લંડનની સંસ્થા  બુક કલેક્ટર્સ ફેર  નું આયોજન  કરે છે . જેમાં પ્રદર્શનમાં મુકાતી બુકસનો વિમો  પણ લેવાય છે... વિચારોએ પુસ્તકો કેટલાં બહુમૂલ્ય અને લોકો ના હૃદયમાં વસેલા હશે.

જૂના પુસ્તકોની ખરીદીમાં તમારી સમજ  હોય તો,
મૂળ ખરીદીના સો એક ગણી વધુ  કિંમત  પણ મેળવી  શકો. જો કે આ તથ્ય ફકત વિદેશીભાષાના પુસ્તકો અને વિદેશી લોકો માં સાર્થક રહે છે.

દરેક  પુસ્તકની પ્રથમ  આવૃત્તિની  50 થી 1000  નકલની સંખ્યામાં છપાય  છે.  પ્રથમઆવૃત્તિના પ્રકાશનમાં જ લેખકની પોતાની બુધ્ધિ તથા અનુભવજન્ય જ્ઞાનના ચમકારા  જોવા મળે છે. અતિજીજ્ઞાસાવૃતિ જન્ય ઉત્સાહ અને જાતઅનુભવના નિષ્કર્ષ થી એ પુસ્તકો લખાય છે એટલે વિદેશમાં પ્રસિદ્ધ  લેખકના પુસ્તકની પ્રથમઆવૃત્તિના મોંઢે માગ્યા દામ જડે છે. . આ પણ... રાબેતા મુજબ વિદેશી પ્રજાને જ લાગુ પડે છે...

આધુનિક સમયમાં પ્રાચીનકાળની સાપેક્ષે  પુસ્તક  નિર્માણ કરવુ  સરળ  છે,  મહદઅંશે  અર્વાચીન  લેખકો ;  વિષય ને સંબંધિત  ઘણુ  Copy  - Pest  કરી ને, જ્યાં ત્યાં થી મેળવી  લે છે. એમાં મૂળ  કૃત્તીના કોપીરાઇટથી બચવા  મૂળભૂત  તથ્યો સાથે મનગમતો  ફેરફાર  કરે છે, આથી  વિકૃત વાચનસામગ્રી  વાચક ને મળે... જે  ખરીદયા  પછી વાંચતા  ભરપેટ પસ્તાવો,  ગ્લાની થાય  અને મારા જેવાઓ રોષે  પણ ભરાય ...

મુદ્રણ દોષ ,  વિષયનો સુસંગત ધારાપ્રવાહ  તથા સંદર્ભનો અભાવ કે અપુરતી અને જાતઅનુભવ વિના ની માહિતીઓ...  આજે છપાતા પુસ્તકોમાં સામાન્ય રીતે જોવા મળે જ છે  એટલે સાવધાનીથી પુસ્તક  ખરીદ કરવુ. .

પુસ્તકની ખરીદકિંમત સામે વાંચન સામગ્રીનું મહત્વ  મુલવવુ. .

સાંપ્રતકાળમાં કોઈપણ  પુસ્તકમાં જેટલા પાના એટલા રૂપિયા  પ્રમાણે  ભાવ લગાડાય છે. સામે સચિત્ર તથા  રંગીન  ઉપયોગી  વાંચન સામગ્રી  હોતી નથી અથવા નહિવત  હોય છેેે. એટલે ઘણીવાર  પુસ્તક  ખરીદવા કરતાં એ પુસ્તકની Xerox copies કરાવી લેવી સસ્તી  પડે  છે..
         પુસ્તક ખરીદતા પહેલા  એની પ્રસ્તાવના  વાંચવી  પછી અનુક્રમણીકા અને એમાંથી જે વિષયથી આપ સહેજ  પરીચીત  હોવ તે પ્રકરણ  વાંચી જવુ એટલે આપને પુસ્તક  ખરીદી ધન - સમયનો વ્યય કરવો કે કેમ ?
એનો  ખ્યાલ  આવી જશે.
મોટાભાગે સામાન્ય રીતે પુસ્તક  વિશેના અભિપ્રાયો તો
એ પુસ્તકના લેખક ના અતી આગ્રહને લઈને  શરમમાં અને પરાણે ખોટેખોટાં વખાણ કરતાં લખાયેલા હોય છે.
એટલે એનાથી અંજાવુ કે ભાવુક થવું નહી.
અન્ય વાંચક વ્યક્તિઓના કોઇ પુસ્તક વિશેના વખાણ  સાંભળીને  તુરતજ  ખરીદ ના કરતાં ;  આપને ખરેખર જો એ વખાણેલ પુસ્તકની આવશ્યકતા  અને ઉપયોગીતા હોય તથા આપ શ્રધ્ધાથી વાંચવા ના જ હોવ તો જ એ પુસ્તક  ખરીદો. ફકત વાંચ્યા  વગર ના પડયા  રહે એવો પુસ્તક સંગ્રહ  બધી રીતે નકામો અને અનિચ્છનીય  છે. આ આપણો દેશ અને આપણી પ્રજા છે કોઇ વિદેશી પુસ્તકપ્રેમી જવલ્લેજ આપના એ પુસ્તકસંગ્રહ ને જોવા આવી શકે છે.

વર્તમાનમાં વસુંધરાની વનશ્રી નો નાશ થતો અટકાવવા તથા વનસ્પતિના ભોગે બનતા કાગળોનો ખોટો વ્યય  રોકવા ના ઉમદા હેતુથી pdf  પુસ્તક  કે ઇ - બુકસ  ઉત્તમ  રસ્તો  છે.

એનાથી આપનુ ધન, સમય અને ઘર માં પુસ્તકોના સંગ્રહ માટે ની જગ્યા  તો  બચે જ છે.  પરંતુ   સાથે-સાથે  પુસ્તકો, ભેજ, ધૂળ, જીવાત તથા અન્ય જે લોકો  વાંચવા લઇ જાય પણ પરત કરવાનુ ભુલી જાય ; એ દોષ ઉપરાંત એમના દ્વારા ચાય ના કપ કે નાસ્તા ના ડાઘા.... એમનાં બાળકો એ પુસ્તકના વળેલા ફાટેલા પાના પૂંઠા ...જેવી હૃદયદ્રાવક અને અસહનીય ઉપાધી ઓથી બહુમુલ્ય પુસ્તક  ખરાબ  થતું  બચી જાય અને પેઢીઓ  સુધી સલામત  રહે છે.
   આપણાથી વનસ્પતિઓનુ વાવેતર  કે જતન નથી થતુ તો,  કાગળો, પ્રિન્ટીંગ શાહીનો ખોટો વ્યય  થતો આ રીતે અટકાવીને વસંધરાની  વનશ્રી ની શોભા જાળવવા માં નિશ્ચિત મદદરૂપ  બની શકીએ.



           
                                 
                         



શનિવાર, 13 એપ્રિલ, 2019

વ્યક્તિએ બ્રાહ્મમુહૂર્ત માં શુ કામ ઊઠી જવું જોઇએ ?

Dr. Modh Bhavesh R. Gandhidham - Kutch:

समदोषः सम अग्निः च समधातुमलक्रियः 
प्रसन्न आत्मा इन्द्रिय मनाः  स्वस्थ इति अभिधीयते ।।
આ સૂત્ર મહર્ષિ   સુશ્રુતે આપેલ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ  સ્વસ્થ વ્યક્તિ કોને કહેવો ?
 એના માટે આ સૂત્ર ને વૈશ્વિક માન્યતા આપેલ છે...

स्वस्थः ની સંસ્કૃત વ્યુત્પતિ स्व अस्मिन् तिष्ठति इति ।
જે પોતાનામાં જ સ્થિર રહે છે એ સ્વસ્થ છે.

ઘણી ઊંચી અને ઊંડી આધ્યાત્મિક ચિંતન યુક્ત આ વ્યુત્પતિનો અર્થ વિસ્તાર કરી શકાય છે..
વ્યક્તિ જયારે પોતાનામાં જ  સ્થિર રહે તો,  બાહ્યજગતની કોઇપણ ઘટના એના પર કોઇપણ જાતની અસર ઉત્પન્ન કરી શકતી નથી, એ વ્યક્તિ કોઇપણ બાહ્ય પરીબળોથી વિચલિત થતો નથી,  કોઇ પરિબળ ના તો એને દુઃખી કરી શકે છે કે  ના તો એને સુખી કરી શકે છે, સુખ પછી દુઃખ આવે છે એટલે એ  સુખ માટે પણ લાલયત નથી રહેતો બસ માત્ર નિજાનંદી જ રહે છે...

આ  પ્રમાણેનો સ્વસ્થ વ્યક્તિ આજે મળવો અશક્ય છે.

કેટલાંક હોઇ શકે પણ એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતીમાં હોય તો  શકય બને છે...

समदोषः सम अग्निः
વાત પિત્ત અને કફ ત્રણેય દોષ તથા અગ્નિ સમ રહેવા જોઈએ ...
ખોરાક અને રાત્રી તથા દિવસ ની ગતિવિધિઓ તથા ક્રિયાકલ્પો પર દોષ તથા અગ્નિની અવસ્થા વિષમ થવી કે સમ રહેવી નિર્ભર હોય છે.
આથી સ્વસ્થતાના અભિયાનમાં,
પ્રાથમિક અને મૂળભૂત પાયાનો દ્રષ્ટિકોણ, 
દિનચર્યા, રાત્રીચર્યા અને ૠતુ પ્રમાણે આહારનો ઉપદેશ આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર માં કરાયેલ છે.

च समधातुमलक्रियः
હવે જો  અગ્નિ અને દોષ સમ હશે તો,
શરીરની બધી ધાતુઓનું મેટાબોલીઝમ,  સરસ અને સુચારૂ રુપે ચાલશે,  આથી  શરીર દ્વારા થતી ક્રિયાઓ, કોષ્ઠાંગોનાં ફંકશન  અને શરીરની બહાર ફેકાંતા મળો પણ સમ્યક રહે છે.

प्रसन्न आत्मा इन्द्रिय मनाः
શરીર દુઃખી થાય તો મન પર એની અસર પડે છે,
શરીર જો સુખ માં રહે તો મન પણ પ્રસન્ન થાય છે
મન એ આંખ, કાન, નાક, જીભ, દ્વારા થતી ક્રિયાઓનું નિયંત્રક છે. મન પ્રસન્ન તો, આ બધી ઇન્દ્રિયોની ક્રિયાઓ -  તથા ફંકશન પણ સુચારૂ રુપે ચાલે છે...

શરીર- મન- ઇન્દ્રિયો આ બધા પોત પોતાનું  કામ સુચારૂ રૂપે કરતાં હોય અને સુખમાં રહેતાં હોય તો,
આત્મા,  જે મૂળ તો આનંદ સ્વરૂપ છે એ પ્રસન્ન રહે છે...

આગળ કહ્યું એમ આજના જમાના પ્રમાણે સ્વસ્થ રહેવા માટે દિનચર્યા, રાત્રીચર્યા અને ૠતુચર્યા વિશે જાણી સમજી અને એનું યથા શકય  પાલન કરવું રહે...

ब्राह्मे मुहूर्ते बुद्धयेत स्वस्थो रक्षार्थम् आयुषः तत्र सर्वाध शान्ती अर्थम् स्मरेतः मधुसूदनम् ।।

વ્યક્તિ એ સ્વસ્થ રહેવા અને આયુષનું રક્ષણ કરવા ब्राह्म मुहूर्त માં ઊઠવું...

ઊઠીને દિવસ દરમિયાન થતી ક્રિયાવિધીઓમાં મન શાંત રહે  અને સારી રીતે શરીરથી એ તમામ ક્રિયાઓ પૂર્ણ કરી શકાય એ માટે मधुसूदनम् - શ્રીહરિ નું સ્મરણ કરવું...

ब्राह्म मुहूर्त ની વ્યાખ્યામાં पश्चिमे यामे शेष अर्द्धप्रहरे એવું લખેલ છે...
યામ કે પ્રહર ને આપણે પહોર તરીકે ઓળખીએ છીએ. એક પહોરનો સમયગાળો આશરે ત્રણકલાક થાય,
એક પ્રહર માં બે મુહૂર્ત હોય એટલે એક મુહૂર્તનો સમયગાળો આશરે દોઢ કલાક થાય,સંસ્કૃત સાહિત્યમાં જેને ચાર ઘડી તરીકે દર્શાવે છે,  घटी કે ઘડીનો સમયગાળો આશરે ચોવ્વીસ મીનીટ નો છે.

રાત્રીનો સમય પૂરો થવાનો હોય એ પહેલા અથવા સૂર્યોદય થાય એ પહેલાં ચારઘડી એટલે કે 96 મીનીટ નો સમયગાળો બ્રાહ્મમુહૂર્ત કહેવાય...

આધુનીક સમયકાળ ગણના પ્રમાણે આશરે,  
4:30 am થી 6:00am બ્રાહ્મમુહૂર્ત છે...

ब्रह्म નો અર્થ બતાવતાં લખે છે કે,
बृंहति वर्द्धते निरतिशय महत्त्व लक्षण बृद्धिमान् भवति इति अर्थः ।
આ નો ગુજરાતી ભાવાર્થ કરતાં સંસ્કૃત વ્યુત્પતિ જ સમજવામાં વધુ યોગ્ય જણાય છે...

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો સવારે આ બ્રાહ્મમુહૂર્ત ના  સમયગાળામાં સ્વપ્ન વધુ આવે છે, અને  કયારેક મન ને ઉચાટ કરે એવાં પણ હોય છે.  પુરૂષોની ગુહ્યેન્દ્રિયમાં ઇરેકશન પણ આ  સમયે થતું જોવા મળે છે, અને સ્વપ્ન  તથા સ્વાભાવિક થતા ઇરેકશન ના કારણે ઘણીવાર યુવાઓમાં nocturnal emission -  स्वप्नदोष આજ સમયગાળા માં થતું હોય છે...

હવે જો વ્યક્તિ બ્રાહ્મ મુહૂર્તમાં જ ઊંઘ માંથી ઊઠી જાય તો,  ઉપર બતાવેલ બે બાબતો ;  સ્વપ્ન અને ઇરેકશન માંથી મુક્ત થઇ જાય છે પરીણામ એનું મન દિવસ દરમિયાન પ્રસન્ન રહે છે...

સવાર ના આ સમયગાળામાં વાતાવરણ માં સૂર્યોદય પૂર્વે ઑક્સિજન તથા નાઇટ્રોજન નું સેચ્યુરેશન મહત્તમ હોય છે આથી ઉત્તમ પ્રાણવાયુ ,  શરીર જો જાગ્રત અવસ્થા માં હોય તો  સારી રીતે સ્ફૂર્તિવાન બનાવે છે...

સૂર્યોદય થતી વખતે જે શરૂઆતના કિરણો વાતાવરણમાં ફેલાયે છે એ કૉસ્મીક એનર્જીને બોડીમાં ઇઝીલી ટ્રાન્સફર કરે છે અને શરીર પણ સારી રીતે ગ્રાહ્ય કરવા ઉત્સુક રહે છે...

આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ જે સૂર્યોદય થવાનો સમય છે,  એ प्रदोष એટલે કે સંધ્યાકાળ છે અને એ સમયે વાયુદોષનો પ્રકોપ હાઇ પીક પર રહે છે,
ફરી થી આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સમયગાળા માં સ્વપ્ન અને ઇરેકશન થવા પાછળ નું કારણ સમજી શકાય છે... બંન્ને વાયુના કાર્યો ( ? ઉપદ્રવો) છે...

આટલું વાંચીને અતિ ઉત્સાહ અને અદમ્યભાવના થઇ આવે કે, બ્રાહ્મમુહૂર્ત માં જ શૈયાત્યાગ કરીને ઊઠી જવું જોઇએ...
પણ વ્યહવારમાં કે પ્રયોગમાં એવું શકય બનતું નથી, ઘડીયાળના કાંટા આ સમયગાળા માં ઝડપી ફરતા હોય એવો દરેક ને અનુભવ રહ્યો હશે...
5:00 નુ એલાર્મ બંધ કરીને ઘડીક નિંદરનું ઝોકું લેવાય ત્યાં તો 7:30 કે આઠ થઇ જાય છે...

આવું ના થાય એ માટે...
રાત્રે સૂઇ જવાનો અને ગાઢ નિંદર માં સરી જવાનો સમય 10:00pm થી 10:30pm નો તથા રાત્રી ભોજન નો સમય 7:30pm થી 8:00 pm નો રહે તો જ બ્રાહ્મમુહૂર્ત માં ઊઠવાનો સમય જળવાઇ રહે...

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...