બુધવાર, 21 ઑગસ્ટ, 2019

શીતળા સાતમ

શ્રાવણ વદ સાતમના દિવસે ગુજરાતમાં શીતળાસાતમનો પર્વ ઉજવાય છે. મોટાભાગના પરીવાર ઠંડુ-વાસી ભોજન કરે છે તથા શીતલા દેવીનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરે છે.
     शीतला देवी તથા શીતળાનો રોગ જેને Smallpox તરીકે સોળમી સદીથી ઓળખવામાં આવેલ છે.
     પાઠયપુસ્તકોથી અત્યારસુધી ભણવવામાં આવતું રહ્યું છે કે, Edward Jenner જે એક અંગ્રેજ ફીઝીશીયન અને વૈજ્ઞાનિક હતાં એમને દુનીયામાં સૌ પ્રથમ શીતળા એટલે કે Smallpox વિરોધી રસી Variolae vaccinae (CowPox) માંથી સને 1796 માં શોધી હતી. આ વેકસીન-રસીકરણના પ્રતાપે WHO એ 1980 માં જાહેર કરેલ કે, હવેથી વિશ્વમાંથી શીતળાનોરોગ પૂર્ણપણે નાબુદ થઇ ગયેલ છે. 
      જો કે, શીતલારોગ વિષયક અન્ય ઐતિહાસિક લખાણો વાંચતા ઘણી ઢંકાયેલી વિગતો, આશ્ચર્ય સાથે આનંદ આપનારી પણ મળી આવે છે, જેમ કે, સંસ્કૃત શબ્દકોશ શબ્દકલ્પદ્રુમમાં मसूरिका  રોગ વિશે લખેલ છે કે,
मसूरीका  मसूरेव ।  मसूरा + कन् । वसन्तरोगः।
तस्य उत्पादनक्रिया इति ख्याता ।
सा तु गोस्तनज-नर- गात्रज-मसूरिकापूयेन भवति यथा
धेनुस्तन्यमसूरिका नराणां च मसूरिका । 
तत् जलं बाहुमूलात् च शस्त्रान्तेन गृहीतवान् ॥ 
बाहुमूले च शस्त्राणि रक्तोत्पत्तिकराणि च । 
तत् जलं रक्तमिलितं स्फोटकज्वरसम्भवम् ॥ 
સંદર્ભગ્રંથ:  इति  धन्वन्तरिकृत शाक्तेयग्रन्थः ॥
હવે આ વર્ણન એડવર્ડજેનરે કરેલ શીતલાવિરોધી રસીની આવિષ્કારની ઘટના સાથે મળતું આવે છે.
       સને 1716 તથા 1718 માં ઇસ્તુમ્બલ (તુર્કસ્તાન) ખાતે અંગ્રેજ એમ્બેસેડરના પત્ની  લેડી મોન્ટાગુ એ, શીતળારોગ પ્રતિકારક ઇનોકયુલેશનની ટર્કિશ પદ્ધતિ વિશે ઘણી જાણકારી મેળવી અને પોતાના સંતાન પર એનો પ્રયોગ પણ કર્યો તથા પત્રો-લેખો દ્વારા એનો પ્રચાર-પ્રસાર ઇગ્લેન્ડમાં પણ પોતાના સ્નેહીઓમાં કરેલ, એમના ફેમીલી ફીઝીશીયન ડૉ.ઇમેન્યુએલ ટિમોની એ ટર્કિશ ઇનોકયુલેશન નો પ્રયોગાત્મક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ 1724 માં રોયલ સોસાયટી માં પ્રસ્તૃત કરાયો હતો, જેના પરીણામે જેનરની 1798 ના શીતલા વિરોધિ રસીકરણ પહેલાં, પચાસ વર્ષ સુધી ઇગ્લેન્ડ અને ફ્રાંસ માં શીતલાથી બચાવ નું  ઇનોકયુલેશન થતુ આવ્યું હતું.
     શીતળા ટાંકવાની આ પરંપરા મૂળ ભારતીય બંગાળી વૈદ્યક માંથી ઉદ્ભવેલ છે, ત્યાંથી ચીન તેમજ વહાણવટાના કારણે સિંધ થી તુર્કસ્તાન સુધી ફેલાયેલ હતી. ગૌવંશમાં જે મસૂરિકા જેવો રોગ થાય છે, એનો સુકાએલો સ્ત્રાવ એટલે કે ભીંગડાને તુર્ક લોકો, ગૌ-પાલકો પાસેથી લેતાં અને બદલામાં ખારેક અને મેવાં વિગેરે આપીને વિનીમય કરતાં હતાં. કદાચ પશુઓમાં થતાં મસૂરિકા રોગને "બળિયા" નામાભિધાન કરાયેલ હશે. એ પરથી આજે પણ પશુધનની  રોગ સામે રક્ષા માટે બળિયાદેવનું પૂજન અર્ચન પણ શીતલાદેવીની જેમ કરવામાં આવે છે.
       આયુર્વેદના ગ્રંથોમાં મળતી મસૂરિકા તથા શિતલા વિષયક જાણકારીને માણીએ, સંસ્કૃત શબ્દોમાં જયાં રોગદર્શક શબ્દમાં 'ला' પ્રત્યય લાગે છે, ત્યાં સ્વભાવિક શારીરિક ક્રિયા-કર્મની હાની અથવા સ્વાભાવિક શારીરધર્મો  ગ્રસીત થવાથી કેટલોક સમય શરીર વિકાર ગ્રસ્ત થાય છે, એવું દર્શાવે છે. જેમ કે कामला- કામ=ખુશી-સુખ નો હ્રાસ થવો, એ રીતે शीतला માં શરીરની જે સ્વાભાવિક અને જરૂરી શીતળતા હોય છે એનો હ્રાસ થાય છે.
     ચરકસંહિતામાં श्वयथुचिकित्सित् અધ્યાયમાં, વિવિધપિડીકાઓના ઔપચારિક વર્ણન માં લખે છે કે,
क्षुद्रप्रमाणाः पिडकाः शरीरे, सर्व अङ्गाः सज्वरदाहतृष्णाः कण्डु युताः स अरुचि स प्रसेकाः, रोमान्तिकाः पित्तकफात् प्रदिष्टाः
આ સૂત્રમાં જે રોમાંતીકાનું વર્ણન કરેલ છે એને લોકબોલીમાં ઓરી કે ઓખો કહે છે, જે બાળકને એક થી પાંચવર્ષ ની ઉમર માં થઇ શકે છે रोमान्तिकाः ને આધુનીક તબીબીવિજ્ઞાન માં measles કહી શકાય છે, જેનો એક મોટો ઉપદ્રવ post measles pneumonia છે, બાળકોને  ઓરી-પ્રતિરોધી રસી નવ માસની ઉમર માં મુકાય છે. જો કે, સુશ્રુતસંહિતામાં રોમાંતિકાનું વર્ણન  કરેલ નથી.
याः सर्व गात्रेषु मसूर मात्रा, मसूरिकाः पित्तकफात् प्रदिष्टाः।
विसर्प शान्तयै विहिताक्रिया या,तांतासु कुष्ठे च हितां विदध्यात् 
      ચરકસંહિતામાં લખે છે કે, મસૂરની દાળ જેવી  પિત્ત અને કફના પ્રકોપથી જે ફોડકીઓ થાય છે એને મસૂરિકા કહેવાય છે, એની ચિકિત્સા વિસર્પરોગની જેમ તથા પથ્યાપથ્ય કૃષ્ઠરોગની જેમ કરવું જોઇએ. સુશ્રુત સંહિતામાં આ મસૂરિકાનું વર્ણન ક્ષુદ્રરોગ અધ્યાય અંતર્ગત કરાયેલ છે.
સાતમી સદીમાં લખાયેલ માધવકૃત રોગવિનિશ્ચય ગ્રંથમાં ચરક સુશ્રુત ની સાપેક્ષે મસૂરિકાનું વિસ્તૃત વર્ણન કરાયેલ છે.                 આધુનીક યુગના આયુર્વેદક્ષેત્રે ગણમાન્ય વિદ્વાન શ્રી ગણનાથ સેન લખે છે કે बृहत् मसूरिका એ Smallpox એટલે કે शीतला છે. જયારે लघु मसूरिका એ Chikenpox જેને લોકબોલીમાં અછબડાં કહી શકાય.
      આયુર્વેદના પ્રશસ્ત ગ્રંથો પૈકી, સોળમી સદીમાં નિર્માણ પામેલ  ભાવપ્રકાશ-સંગ્રહગ્રંથમાં શીતલારોગનું વિસ્તૃત અને સ્વતંત્ર વર્ણન જોવા મળે છે. એમાં લખે છે કે,
देव्या शीतलया आक्रान्ता मसूरि एव हि शीतला ।
ज्वर एव तथा भूताधिष्ठितो विषमज्वरः ।।
सा च सप्तविधा ख्याता तासां भेदान् प्रचक्षते ।
દેવી શીતલા ના આક્રમણથી, ભૂતનાયોગથી એટલે કે, સૂક્ષ્મરોગોત્પાદક જીવાણુઓથી વિષમજવર જેવો જે જવર આવે છે એને શીતલા કહે છે અને એના સાત પ્રકાર હોય છે.
ज्वर पूर्वा बृहत्स्फोटैः शीतला बृहती भवेत् ।
सप्ताहान्निःसरति एषा सप्ताहात् पूर्णतां व्रजेत् ॥
ततः तृतीये सप्ताहे शुष्यति स्खलति स्वयम् ।
तासां मध्ये यदा काचित् पाकं गत्वा स्फुटं स्रवेत् ॥
तत्र अवधूलनं कुर्यात् वन-गोमयभस्मना ।
ફોડકાં ફુટી જાય અને સ્ત્રાવ થતો હોય તો, એનાં પર વનમાં ચરવા જતી ગાય એ કરેલા છાણની એટલે કે અડાયાછાણાંની રાખ ભભરાવવી તથા
निम्बसत् पत्र-शाखाभिः मक्षिकाम् अपसारयेत् ॥
લીમડાની પાંદડાવાળી ડાળખીથી માખીઓને દૂર રાખવી.
जलं च शीतलं दद्यात् ज्वरे अपि न तु पचेत् ।
શીતલારોગના તાવમાં પણ ઠંડુ પાણી જ આપવું , ઊકાળેલુ ના આપવું.
स्थापयेत् तम् स्थले पूते रम्ये रहसि शीतले ॥
न अशुचिः संस्पृशेत् तु न च तस्य अन्तिकं व्रजेत् ।
बहवो भिषजो न अत्र भेषजं योजयन्ति हि ॥
केचित् प्रयोजयन्ति एव मतन् तेषाम् अथ ब्रुवे ॥
એ કાલખંડમાં ઘણાં વૈદ્યોશ્રી કહેતા કે, આનો કોઇ ઇલાજ નથી એમ છતાંય  નીચેના ઔષધીય ઉપાયો યોજાતાં.
ये शीतलेन सलिलेन विपिष्य सम्यक् चिञ्चाजबीजसहितां रजनीं पिबन्ति । तेषां भवन्ति न कदाचित् पीह देहे पीडाकरा जगति शीतलिका विकाराः ॥ मोचा-रसेन सहितं सितचन्दनेन वासा-रसेन मधुकं मधुकेन च अथ । आदौ पिबन्ति सुमनाः
स्वरसेन मिश्रं ते ना आप्नुवन्ति भुवि शीतलिकाविकारान् ॥                આયુર્વેદના પ્રશસ્ત ગ્રંથોમાં એક માત્ર પંડિત ભાવમિશ્રે શીતલાારોગનું વર્ણન ભાવપ્રકાશ ગ્રંથમાં મધ્યખંડના ચોથાભાગમાં જ કરેલ છે. જયારે ચરક, સુશ્રુત, વાગભટ્ટ તથા માધવે માત્ર મસૂરિકાનું વર્ણન કરેલ છે. આથી કહી શકાય કે, શીતલા રોગનું નામ દસમી કે અગિયારમી સદીના પૌરાણીક યુગથી આવેલ હોઇ શકે,
શીતલા રોગનું ચિકિત્સા સૂત્ર જણાવતાં ભાવપ્રકાશમાં લખે છે
शीतलासु क्रिया कार्या शीतला रक्षया सह । 
बध्नीयानि निम्बपत्राणि परितो भवनान्तरे ॥ 
कदाचित् अपि नो कार्यम् उच्छिष्टस्य प्रवेशनम् । 
स्फोटेषु अधिकदाहेषु रक्षा रेणु उत्करो हितः ॥ 
तेन ते शोषम् आयान्ति प्रपाकं न भजन्ति च ।
આ ચિકિત્સાસૂત્ર આજે પણ અછબડાંના દરદીઓ માટે  આચરવામાં આવે છે અને આ જ લોકવૈદકમાં ઓરી અછબડાં ના રોગીઓ માટે સ્વિકારાયેલ પરંપરા છે.
जप-होम-उपहारैः च दान स्वस्त्ययन् अर्चनैः । 
विप्र-गो-शम्भ-गौरीणां पूजनैः तां शमं नयेत् ॥ 
स्त्रोत्र च शीतला देव्याः पठेत् शीतला अन्तिके । 
ब्राह्मणः श्रद्धया युक्तः तेन शाम्यति शीतला ॥ 
ભાવપ્રકાશ ગ્રંથમાં દેવવ્યાપાશ્રય ચિકિત્સા સ્વરૂપે સ્કંદ પુરાણમાં કાશીખંડમાં લખાયેલ શીતલાષ્ટક સ્ત્રોત પણ ઉલ્લેખાયેલ છે.
स्कन्द उवाच, "भगवन् ! देवदेवेश ! शीतलायाः स्तवन् शुभम् । वक्तुम अर्हसि अशेषेण विस्फोटकभय अपहम् ॥ "
ईश्वर उवाच
" वंदे अहं शीतला देवीं रासभस्थां दिगम्बराम् ।
याम् असाद्य निवर्तेत विस्फोटकभयं महत् ।।
शीतले शीतले इति यो बूयात् दाह पीडितः ।
विस्फोटकभयं घोर क्षिप्रं तस्य प्रणश्यति ।।
यः त्वाम् उदक मध्ये तु ध्यात्वा सम् पूजयेत् नरः ।
विस्फोटकभयं घोरं कुले तस्य न जायते ।।
शीतले ज्वरदग्धस्य पूतिगन्धगतस्य च 
प्रणष्टचक्षुषः पुसः त्वम् आहुः जीवित् औषधम् ।।
       ।। अथ शीतलाष्टकं स्त्रोतं ।।
नमामि शीतलां देवीं रासभस्थां दिगम्बराम् । 
मार्जनी-कलश-उपेतां, सूर्प अलङ्कृत मस्तकाम् ॥ १
शीतले तनुजान् रोगान् नृणां हरसि दुस्तरान् । 
विस्फोटक-विशीर्णानां त्वमेक अमृतवर्षिणी ॥ २
गलगण्डग्रहा रोगा ये च अन्ये दारुणा नृणाम् । 
त्वत् अनुध्यान-मात्रेण शीतले यान्ति ते क्षयम् ॥ ३
न मन्त्रो न औषधं किञ्चित् पापरोगस्य विद्यते । 
त्वम् एका शीतले ! धात्री न अन्यां पश्यामि देवताम् ॥ ४
मृणाल-तन्तुसद्दशीं नाभि-हृद मध्य संस्थिताम् । 
यः त्वां संचिन्तयेत्  देवी ! तस्य मृत्युः न जायते ॥ ५
अष्टकं शीतलादेव्या यः पठेन्मानवः सदा । 
विस्फोटकभयं घोरं कुले तस्य न जायते ॥ ६
श्रोतव्यं पठितव्यं च नरैः  भक्तिसमन्वितैः । 
उपसर्ग-विनाशाय परं स्वस्त्ययनं महत् ॥ ७
शीतला अष्टकम् एतत् हि  न देयं यस्य कस्यचित् । 
दातव्यं हि सदा तस्मै भक्ति-श्रद्धा अन्वितो हि यः ॥ ८
પ્રસ્તૃત ઇમેજ એ.. ખેડબ્રહ્મા માં તાલુકા માં આવેલ શીલવાડ ગામના પ્રાચિન જાળી મંદિરની છે.  આ ઇમેજ માં શીતલામાતાની ચારભુજા વાળી પૌરાણીક કાળની મુર્તિ દ્રશ્યમાન થાય છે. રાજવૈધ રસીકલાલ જે પરીખની સાબરકાંઠાની વનસ્પતિ પુસ્તકના કવરપેજ પર છાપેલી છે. खरवाहन दिग्म्बरी सूपडु तारे माथ । 
निमकलश हाथ धर्यो मार्जरी चोथे हाथ ।।
પ્રાકૃત ગુર્જર ભાષામાં લખાયેલ આ ઉક્તિ શીતલામાતાનું વર્ણન કરે છે અને આ ઉક્તિ એ શીતલાના રોગીના ઉપચાર નું પણ નિર્દશન કરે છે. આથી શીતળા સાતમે ઠંડુ એટલે કે શીતળ તથા લૂખુ સુકૂ એટલે કે વાસી ખાવાનો રીવાજ સ્થાપીત થયેલ છે. શીલવાડ, ખેડબ્રહ્મા થી પૂર્વ તરફ  વિજયનગર - પોળો જંગલ તરફ જતાં રાજય ધોરીમાર્ગ 147 પર આવેલ આ ગામ માત્ર 76 મકાનોની વસ્તી ધરાવે છે અને વિજય નગરથી ખેડબ્રહ્મા તરફ આવતી હરણાવ નદીના દક્ષિણ કાંઠે આવેલ છે સામા કાંઠે  દેરોલ નામે ગામ આવેલ છે બંન્ને કાંઠે પ્રાચીન મંદિરો જોવા મળે છે, સંભવતઃ જૈનમંદિરો હોવાનું અનુમાન છે.. ખેડબ્રહ્મા થી શીલવાડ આશરે 10 કિ.મી ના અંતરે આવેલ છે ( ગૂગલ  મેપ માં Silvad નામે સર્ચ કરવું ) 







ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...