બુધવાર, 19 જૂન, 2019

નાગાર્જુન.... રસવૈદ્ય

નાગાર્જુન 

સંસ્કૃત  શબ્દ  ની પરિભાષા પ્રમાણે  અર્થ  જોઈએ  તો नाग એટલે  સામાન્ય  રીતે  "હાથી" ,  તથા ધર્મ પુરાણો  માં વાસુકી તક્ષક  આદી  મહાસર્પ  માટે નાગ શબ્દ વપરાયેલો છે . એટલે કે, વિશાળકાય પ્રભાવશાળી  જીવંત પ્રાણી માટે વપરાતો શબ્દ  નાગ. ..
अर्ज   એટલે પોતાના પરાક્રમ  થી   મેળવવુ .. તથા  अर्जुन   નો સ્થુળ  અર્થ  શ્વેત  અથવા તેજસ્વી સફેદ થાય છે. ..
હવે નાગાર્જુન  શબ્દ નો અર્થ  મારી દ્રષ્ટિએ  ... પોતાના અથાગ પરિશ્રમ  અને પુરૂષાર્થ  થી મેળવેલ સિદ્ધિઓ થી જે જનસામાન્ય  માં પ્રભાવશાળી  છે  એ ... નાગાર્જુન. ..

ઇ.સ.પૂર્વે  200 થી ઇ.સ.900 એટલે કે 1100 વર્ષ ના સમય ગાળા માં આવા શ્રેષ્ઠ  અને પ્રભાવશાળી  વ્યક્તિત્વ  ધરાવતા  કેટલાય નાગાર્જુનો  ના સંદર્ભ જોવા જાણવા મળે  છે. .
આ પોસ્ટ  દ્વારા  તથા વિદ્વાન  ઇતિહાસ કારો ના ઘણા સંશોધન  બાદ મુખ્ય  બે નાગાર્જુન  નામની વ્યક્તિ  વિશે જાણવુ - જણાવવા ની ઇચ્છા  થઈ  આવી. ..

જે પૈકી  એક ને બૌદ્ધ  નાગાર્જુન  તથા બીજા ને રસસિદ્ધ નાગાર્જુન  તરીકે  ઓળખીએ. .

ગૌતમ બુદ્ધ નો સમય કાળ ઇ.સ. પૂર્વે  500 વર્ષ  નો માનવા માં આવે છે . પણ બૌદ્ધ ધર્મ  પ્રચાર - પ્રસાર ઇ.સ.100 - 200 ના સમય કાળ  માં શરૂ થયો. . આ સંપ્રદાય  માં પણ મતભેદ  ના કારણે જૂથવાદ થયો. . અન્ય કરતા  અમારો સંપ્રદાય મહાન અને એટલે તમે એમાં જોડાવ એ વૃત્તિ અને વિચાર થી ઘણી વાર્તા રૂપ  સાહિત્ય  નુ નિર્માણ  થયુ અથવા કરાયુ. ..
🔸બૌદ્ધ સંપ્રદાય  માં શિવ - વિષ્ણુ   જેવા દેવ  કે શક્તિ સ્વરૂપ દેવીઓ  નો સ્વીકાર  નથી.  પણ પ્રાણેષણા ( દેહ સિદ્ધિ = નિરોગી અને સમર્થ જીવન ) તથા ધનેષણા ( ભૌતિક સમૃદ્ધિ )  તો જોવા મળે  જ છે. .
🔸બૌદ્ધ  ધર્મ  માં આ બે એષણા મેળવવા માટે  એમાં તંત્ર  ની વિધિઓ  દાખલ થઇ. . મહાયાન  નામની શાખા ની એક ઉપશાખા વ્રજયાન નો સીધો સંબંધ તાંત્રિક વિધિ ઓ (વામ માર્ગી સિદ્ધો ) સાથે છે. .

🔸બૌદ્ધ નાગાર્જુન  તિબેટ  માં વિશેષ  પ્રચલિત  અને માનનીય  છે . જેની જન્મ તથા અભ્યાસ અને પ્રતિજ્ઞા,  " सिद्धे रसे करिष्यामि निर्दा रिघ्रमयं जगत् । "
નો વૃતાંત વાંચતા  જણાય કે .. એ વિદર્ભ  માં પેદા થયેલ સંપન્ન બ્રાહ્મણ નો દિકરો હતો જે લાંબા  સમય બાદ 1000 બ્રાહ્મણ ને ભોજન  કરાવ્યા બાદ સંતાન  સ્વરૂપે  પ્રાપ્ત  થયેલ પણ  એક સપ્તાહ  નુ આયુષ્ય ધરાવે છે..

 .હવે અહિંયા થી બૌદ્ધ ધર્મ  ના પ્રભાવ  અને ચમત્કાર  કહાની  ઘુસાડી દેવાય છે. ..

જો સો ભિક્ષુક ને ભોજન કરાય તો 7 વર્ષ નુ  જીવન મળે ( 1000 બ્રાહ્મણ  ની સાપેક્ષે  દસમા ભાગ ના એટલે કે કમ દામ ઉત્તમ કામ .. ) ત્યાર બાદ  મહાબોધીસત્વ અવલોકિતેશ્વર  આવે છે અને આ બાળક ને નાલંદા  લઇ જાય છે. જ્યાં તેને નિશુલ્ક  તમામ વિદ્યા માં પારંગત કરાય છે.

Once again. .

 અંતે વિદ્યાપીઠ  નુ આચાર્ય  પદ સોપાય છે. . જયારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ  નિર્માણ  થાય છે ત્યારે  એ કોઈ એક દ્વિપ માં જાય છે ( એ સમય માં સૌથી વધુ અને પ્રચલિત તથા સમૃધ્ધ  બંદરો ( દ્વિપ ) ગુજરાત માં હતા તથા અહિંયા  કચ્છ  સૌરાષ્ટ્ર,  ભરૂચ,  ખંભાત આદી દ્વિપ ( બેટ ) સ્વરૂપે ઓળખાતા જેમ કે આજે પણ કચ્છ માં ખડીરબેટ  તથા સૌરાષ્ટ્ર માં ઓખા પાસે બેટદ્વારકા ,  પીરમબેટ  આદી. . ) અહિ આ મહાશય કોઈ  સિદ્ધ  ને મળી  ને हेमवती विधा  શીખે છે અને નિયમ વિરૂદ્ધ  ચાલકી થી  પોતાના દેશ પરત ફરે છે. . ઇતિહાસકાર  આ વ્યક્તિ ને બૌદ્ધ નાગાર્જુન  નામે ઓળખે  છે જે શાલિવાહન રાજા ના મિત્ર  હતા.. શાલિવાહન  નો સમયકાળ ઇ.સ. 172 - 202 નો છે. .એટલે બૌદ્ધ નાગાર્જુન  પહેલી - બીજી સદી માં હોય  એવુ સાબિત  થાય છે. ...
                   ○○○
🔸રસસિદ્ધ નાગાર્જુન  ના નામે  रसेन्द्रमंगल ,  रसरत्नाकर, તથા कक्षपुटतंत्र જેવા ગ્રંથ  જોવા મળે છે. .
🔸રસશાસ્ત્ર  નો ઇતિહાસ  જોઈએ  તો એની વિકાસ ગાથા ઇ.સ. 800 બાદ શરૂ  થાય છે અને બારમી - તેરમી સદી માં ખૂબજ  પ્રચલિત  થયેલ તથા એના પરના વિવિધ  ગ્રંથો નુ નિર્માણ  13 મી સદી ના ઉતરાર્ધ  તથા 14 મી સદી ના પૂર્વાધ માં થયેલુ  જાણવા મળે  છે.
🔸रसप्रकाश सुधाकर ના કર્તા યશોધર  આ રસશાસ્ત્ર  ના ગ્રંથ  માં પોતાનો  તથા પોતાની  કર્મભૂમિ  જુનાગઢ  નો પરીચય  આપ્યો છે ; એજ રીતે રસશાસ્ત્ર  પર બીજા એક ગ્રંથ  आयुर्वेदप्रकाश ના કર્તા માધવ પણ પોતાને જુનાગઢ  ના રહેવાસી બતાવે છે. .
🔸આજે જુનાગઢ - ગિરનાર અનેક સિદ્ધ - સંતો ની ભૂમિ  તરીકે  ર્નિવિવાદ સ્વીકાર્ય છે. .
🔸કેટલાક ઇતિહાસકાર રસસિદ્ધ નાગાર્જુન  નો જન્મ નવમી સદી માં સોમનાથ પાસે ના દેહક ના કિલ્લા  માં થયેલ માને છે. ..
🔸રસશાસ્ત્ર  નો સીધો સંબંધ  શિવ તથા શક્તિ  સાથે છે..જે રસશાસ્ત્ર ના ગ્રંથો માં સ્પષ્ટ  વર્ણવેલ  છે. .
🔸રસસિદ્ધ નાગાર્જુન ના रसेन्द्रमंगल   ગ્રંથ  ની શૈલી 11 મી સદી ની છે એના 8 અધ્યાય પૈકી 4 મળેલ છે જેમાં પારદ 18 સંસ્કાર તથા હલકી ધાતુ માંથી સુવર્ણ -  રજત બનાવાની વિધિ  આપેલ છે.
🔸रसरत्नाकर આ ગ્રંથ  ના પાંચ  ખંડ છે જેમાં રસખંડ, રસેન્દ્રખંડ, રસાયનખંડ, વાદીખંડ અને મંત્રખંડ  નો સમાવેશ  છે...  બહુધા સુવ્યવસ્થિત રસયોગો   ની નિર્માણ  વિધિ દર્શાવેલ છે . કેટલાક  વિદ્વાનો આને 13 મી સદી નો સંગ્રહ  ગ્રંથ  માને છે.
🔸कक्षपुटतंत्र માં મોહન,  ઉચ્ચાટન વિષપ્રયોગ ,  વશીકરણ, ઉન્માદ કરણ આદિ વિચિત્ર  અને આશ્ચર્યજનક કિમીયા નુ  વર્ણન  કરેલ  છે.

આટલા તથ્યો  ની ચર્ચા  બાદ નિષ્કર્ષ  એ નિકળે કે, રસસિદ્ધ  નાગાર્જુન  ગુજરાત માં જન્મેલ અને આયુર્વેદ ઉપયોગી રસશાસ્ત્ર  ના ગ્રંથ  નુ નિર્માણ  કરેલ. .. જયારે બૌદ્ધ નાગાર્જુન  આધ્યાત્મિક વ્યક્તિ હતા માત્ર  બૌદ્ધ ધર્મ ના પ્રચાર - પ્રસાર - પ્રભાવ માટે લોહ સિદ્ધિ,  हेमवती विधा  દ્વારા  સુવર્ણ બનાવી ને રસશાસ્ત્ર ના ઇતિહાસ  માં પ્રસિદ્ધિ મેળવેલ
🔸 અહિ દર્શાવેલ પાંચ નાગ નુ તિબેટીયન શૈલી  નુ ચિત્ર  બૌદ્ધ નાગાર્જુન  નુ છે. ..જે આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર  માં ઉપયોગી   રસશાસ્ત્ર  ના ગ્રંથો ના કર્તા  રસસિદ્ધ  નાગાર્જુન  કરતાં ભિન્ન  છે. .

રસસિદ્ધ  નાગાર્જુન  ગુજરાત  અને ગુજરાતીઓ  નુ ગૌરવ છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...