બુધવાર, 19 જૂન, 2019

દેશી ખાતર છાણ કે મૂત્ર

#dinesh #tilva नो सवाल
Reply by #DrBhavesh Modh
ખૂંટ - જે ગૌવંશ માં નર ને માત્ર પ્રજજન હેતું જ ઉછેર કરવામાં નિરણદેવામાં તથા ઉપયોગમાં લેવામાં વપરાય તેને ખૂંટ કહે છે... હવે આવા ખૂંટ ના મૂત્ર માં ટેસ્ટેસ્ટેરોન નું પ્રમાણ ઊંચુ હોવાનું તથા છાણ માં પણ બરાબર પાચિત તત્વો બહાર આવે છે  કયારેક ઘરડો થાય તો એનો છાણ ખાટી વાસ નું અને ચિકણું હોય છે જે આરોગ્ય ની દ્રષ્ટિએ તો હિન છે પણ ખાતર ની દ્રષ્ટીએ ઉત્તમ રહે શરત એ છેકે બરાબર સડવું જોઇએ અર્થાત્ બાયોગેસ પ્લાન માં  નાંખી અને પછી ઉપયોગ માં લેવાય તો ઉત્તમ...

કયું બેસ્ટ એ વાપરનાર કે ઉપયોગ માં લેનાર વ્યક્તિ ના  અંગત  સ્વાર્થ આધારીત છે.. વૈજ્ઞાનિક વિશ્લેષણ તો એ સ્વાર્થસિદ્ધિ માં સહાય રૂપ થાય છે. માની લ્યો કે ખેડ ભૂમીમાં યુરીયા ની જરૂર છે તો બળદ નું છાણ મૂત્ર બેસ્ટ રહેશે અને ચરતી ફરતી  ગાય નાં  એનાથી ઉત્તમ રહેશે... માની લ્યો કે ફળાઉ ઝાડ  ની ખેતી છે  ખૂંટ અને ગાભણ કે ગરમી માં આવેલ ગૌવંશ નું મૂત્ર ઉત્તમ રહેશે..
 એવરેજ બેસ્ટ માં જવું હોય તો બાયોગેસપ્લાન્ટ માંથી આવતું ખાતર ઉત્તમ રહેશે... જોકે ભૂમિ પરીક્ષા અને એ આધારીત કયો પાક લેવાથી ઉત્તમ તત્વો મળી રહે તથા અપૂરતી  માટે કયુ ખાતર ઉત્તમ રહે એનો નિર્ણય તો વાવનારે જાતે જ કરવો પડે... છાણીયા કે ઑર્ગેનીક ખાતર નું એનાલાઇસીસ કરી શકે એવી લેબ આ દેશ માં હશે ?

ગાય  ને આજે 24 કલાક દરમિયાન મહત્તમ સમયે એક જગ્યાએ બાંધી રખાય છે.. ગાય ને તડકા માં છુટી ફરવા દેવી જેથી એ તંદુરસ્ત રહે અને એનું દૂધ  ટી.બી. ના બેકટેરીયા રહીત રહે છે.. મૂત્ર માં તો ગાય ની અવસ્થા  પ્રમાણે હોર્મન ની સ્થિતિ હોય છે ગરમી માં આવે ત્યારે ઑક્સિટેશન નું પ્રમાણ હાઇ લેવલ પર હોય છે ગાભણ હોય તો પ્રોજેસ્ટેરોનનું અને  દુઝણી હોય ત્યારે  એને દોહ્તા જયારે મૂત્ર ત્યાગ કરે એમાં ઑક્સિટેશન નું પ્રમાણ સારૂ હોય છે... ગાય ની પાચન શક્તિ પ્રમાણે એની છાણ ની ગુણવત્તા રહે છે વધુ વાગોળતી ગાય નું છાણ ઉત્તમ હોય છે અને જો અનાજ ના દાણા કે નિરણ ના ટૂકડાં છાણ માં વધુ દેખાતા હોય તો એને બાયોગેસ પ્લાન્ટ માં ટ્રીટકર્યા બાદ ખાતર તરીકે વાપરી શકાય છે...

બળદ  ની શુક્રોત્પાદકગ્રંથી કાઢી નંખાયેલ હોય છે એટલે મૂત્ર સામાન્ય હોય છે જો કે યુરીકએસીડ નું પ્રમાણ ખેતી કામ માં જોતરાયેલા બળદ ના મૂત્ર માં વધુ હોય છે ... એનું છાણ સુપાચિત હોય છે એટલે ડાયરેકટ ઉકરડાનું છાણીયુંખાતર ની જેમ ઉપયોગ માં લઇ શકાય છે...

સમગ્ર ગૌવંશ ના છાણ મૂત્ર વધેલા નિરણ ઉપરાંત માનવ મળમૂત્ર એંઠવાડ વિગેરે  ને એક  જ બાયોગેસ પ્લાન્ટ માં એકત્ર કરી પુરેપુરી સડન પેદા થવા દેવામાં આવે અને પછી જો ખાતર તરીકે વપરાય તો એ ઉત્તમ બને છે... સાથે સાથે  બીનજરૂરી નિંદણ ઉગતી નથી... છાણ માં અપચિત ખોરાક વધુ હશે તો બાયોગેસ વધુ બનશે અને ખાતર શ્રેષ્ઠ થશે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...