બુધવાર, 19 જૂન, 2019

એલર્જી નો લેબ.ટેસ્ટ

આજકાલ છાપાનાં  પહેલાપાને આખું પાનું ભરીને એલર્જી ટેસ્ટ કરવાની જા X ખ આવે છે.
જ્ઞાન આવે તો મોહ  દૂર થાય  ,
સમજાય તો શ્રધ્ધા પ્રગટે. .
સમગ્ર  જગત પંચભૌતીક  છે ..
તબીબીવિજ્ઞાનમાં એજ રીતે  દરેક પદાર્થ  પ્રોટીનનો બનેલ છે. .
પ્રોટીન નો બંધારણીય  એકમ એમીનોએસીડ તરીકે  ઓળખાય. ..
દરેક  પદાર્થમાં રહેલ પ્રોટીનની અલગ-અલગ
એમીનોએસીડો  ની ચેઇન  હોય. ..
શરીરના સંપર્કમાં પ્રથમવાર જે પદાર્થ  આવે અને શરીર ને પસંદ  ના આવે એ પદાર્થ  ને એન્ટીજન  કહેવાય. ..
  એ ના પસંદ પદાર્થ ના  પ્રથમપ્રવેશ વખતે  તો શરીર સંયમ જાળવે પણ બીજી વાર એ જ એન્ટીજન ના    પ્રવેશ સામે પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી રૂપ  એન્ટીબોડીઝ પેદા કરીને તૈયાર  રાખે. .
હવે એન્ટીબોડીઝ   એ ,  એન્ટીજનસ ના  દ્વિતીય પ્રવેશને રોકવા ના ઘમાસણ માં હિસ્ટામીન નામે  એક પદાર્થ ત્વચા ની નીચે   ઉત્પન્ન  થાય એ જે શિળસ, ખંજવાળ, Rashes, allergy,  નું કારણ બની એવાં લક્ષણો  પેદા કરે. .
એની એ અસર રોકવા એન્ટીહિસ્ટામાઇન ડ્રગ્સ  ( Avil જેવા  ) થી આપના ડૉકટર  સારવાર આપે. ..
હવે આને રોકવા નો કાયમી ઉપાય તો , જેને શરીર પસંદ નથી કરતું એને પ્રવેશ કે સંપર્ક  ના થવા દેવો છે અને એ માત્ર દરદી ખુદ જ શોધી શકે. ..
પેથોલોજીકલ લેબ ટેસ્ટ  માં ઘણી મુંઝવણ  ઉભી થાય છે. કેમકે   જગત ના દરેક પદાર્થ  પંચભૌતીક (~ પ્રોટીન નો)  છે  એટલે બંધ કરવાની વસ્તુ નું   લાંબુ લીસ્ટ  આવે છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...