શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

ઇન્દિરા એકાદશીમાં કાળિયાકંદનું માહાત્મ્ય.



       ભાદરવા વદ અગિયારસ ને इन्दिरा एकादशी કહેવાઇ છે.
इन्दिरा એટલે સૂર્ય સમાન કાંતી આપનાર... શ્રીલક્ષ્મી નું એક નામ ઇંદિરા છે. આ અગિયારસ સાથે જોડાયેલ પૌરાણીક કથા માં, નારદ મુનિના કહેવાથી; માહિષ્મતી નગરીના રાજા ઇંદ્રસેને આ અગિયારસ નું વ્રત કરી શ્રાદ્ધ તર્પણ કર્મ કરી કરાવીને પિતૃઓની મુક્તિ કરાવી  હતી.

ૠતુચર્યા પ્રમાણે સ્વાસ્થયસંરક્ષણ અર્થે આ એકાદશી સાથે કાળિયાકંદ નું માહત્મ્ય જોડાયેલ છે. ગુજરાત માં કાળિયોકંદ આઝાદી ના સમય ની આસપાસ  લોકજીવનમાં ખ્યાતિપ્રાપ્ત હતો.

કાળિયોકંદ જેનું વૈજ્ઞાનિક નામ
Dioscorea Hispida  છે જેને
Intoxicating Yam  તરીકે પણ ઓળખાવે છે.
intoxication meaning
a strong feeling of excitement or happiness:
એટલે કે, આલ્કોહોલ જેવાં કેફી પીણાં બાદ જેવી અસર થાય છે એવી અસર આ કંદ ના સેવન બાદ થઇ શકે છે.
    ગુજરાત ની પ્રથમ વિધાનસભા માં આરોગ્યમંત્રી શ્રી મોહનલાલ પી. વ્યાસ હતાં... એમને શુદ્ધ આયુર્વેદ માટે સમગ્ર પ્રયાસો પણ આદર્યા હતાં. 1960 - 1965 સુધી માં શ્રી મોહનલાલ વ્યાસ ના આરોગ્યમંત્રી તરીકે ના પ્રયાસો આયુર્વેદ ના સમગ્ર પ્રચાર-પ્રસાર ના રહેલ હતાં  જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી ની સ્થાપના માં સરકારી સરળતા કરવવા માં
એમનો બહુ મોટો ફાળો છે.
અમદાવાદ ની અખંડ આનંદ અને વડોદરા પાણીગેટની આયુર્વેદિક કોલેજ માં  આયુર્વેદિક નર્સીંગ નો કોર્સ ચાલુ કરાવેલ..
1963 માં કેન્દ્ર માં એમના નેતૃત્વ હેઠળ, "વ્યાસ કમીટી" ની ભલામણ થી શુદ્ધ આયુર્વેદ નો અભ્યાસક્રમ એમની અધ્યક્ષતા માં નક્કી કરાયેલ હતો કહેવાય છે કે, રાજ્ય સરકાર નાં આરોગ્ય મંત્રી શ્રી મોહનલાલ વ્યાસે કોઈ “કાળીયો કંદ”નો આવિષ્કાર કર્યો હતો જે ગરીબો ના ભૂખમરા નો એક ઉપાય હતો.
આ કાળીયો કંદ જે તે વખતે ખૂબ પ્રસિધ્ધ રહ્યો હશે.

 નેતાઓના મિથ્યા વચનો પર ની વ્યંગ કાવ્યકૃતિ માં એને આવરી લેવાયો છે..

નીચે આપેલ વ્યંગ કાવ્ય કૃતિ આઝાદી ના 60 મા વર્ષે લખાયેલ છે... એટલે  લગભગ 2007 માં લખાયેલ છે જે કાળિયાકંદ નું  લોકજીવન માં કેટલું માહત્મ્ય છે એ દર્શાવે છે...

સુડતાલીસ પછી,ખેડેલા ખેતરમાં
આ ઉગ્યાં વચનો,સાઠ વરસ લગ
ખોદી-ખોદી કાઢ્યાં વચનો.
વચનો મબલક ફાલે ફાલ્યાં રે,
વચનો ખોબે ખોબે ઝીલ્યાં રે,
વચનો મલયાનીલ પવનોમાં ઉગ્યાં,
વચનો વર્ષામાં ભીંજીને ફુગ્યાં;
વચનો બારે મહીનો પુગ્યાં.
વચનો અમને રે-
વચનો તમને રે,
વચનો સૌને હેતે મળીયાં
વચનો ઝીલી ઝીલીને તો આવ્યાં પળીયાં.
વચનો સુદામાને તાંદુલ,
એને કરોડ કનૈયા
ખોબા ભરી ભરીને વહેંચે;
સુદામો અકરાંતીયો ખાય.
વચનો મારાં કાળિયોકંદ;
એ તો પાંચ વરહ લગ ચાલે.
વચનો કૃષ્ણાનું અક્ષયપાત્ર.
વચનો લીલી લીંબડી રે
લીલો નાગરવેલનો છોડ;
વચનો કન્યાની માતાને માથે મોડ !
હે રણછોડ ! જે રણછોડ !
અમને આ ‘રણમાંથી છોડ.
વચનો લીલાં રે
વચનો પીળાં રે
વચનો શીળાં રે
વચનો તડકો રે–
વચનોના તડકામાં ડોસી
પેટતણા ખાડામાં ઘુંટણ ખોસી
વાહ રે સાંઈઠ વરસથી બેઠી બેઠી
‘પરસેવા’થી ન્હાય.
ડોસી ગાંડી થઈને ગાય
એને નથી કશી રે લ્હાય
એને ભાન નથી રે ક્યાંય
કે વચનો
કે વચનો એના રોમ રોમથી
ફુટી ફુટી નીકળ્યાં !

વચનો મારાં પરદેશી પાંદડું રે
એ તો ઉડી ઉડીને ચાલ્યું જાય,
આવશે પાંચ વરસ ટાણે હોંશથી હો….જી !
વચનો મારાં નસીબ આડેનું પાંદડું
એ તો ક્યારે ખસી ખસી જાય;
આવોને મારા પીર,
મારો આ હેલ્લો સાંભળોને….જી.

વચનો ખાદીનાં
વચનો દાગીના
વચનો ધોળી ટોપી પહેરે
વચનો ક્યારેક કપડાં પણ પહેરે.
વચનો ધોળાં
વચનો ટીનોપોલથી ન્હાય
વચનો મોંઘેરી મોટરમાં ફરવા જાય
વચનો બોલકણાં
વચનો ભુલકણાં
વચનો ટેક્સ ભરવાનુંય ભુલી જાય
વચનો તોય બહુ વખણાય.
વચનો ફેશન રે,
વચનો રોજ તણું ‘લેશન’ રે.

વચનો લખનારો લહીયો રહે
વચનો પઢતાં પંડીત થવાય.
વર્ષોથી ચાલ્યા આવતા જુગારમાં
હારી ગયેલા પાંડવોનાં ધરમપતનીની
ખેંચાતી રહેતી આબરુ આડે
કોઈ ને કોઈ ધોળાઓ
નવસો નવ્વાણુથીય વધુ–
અગણીત જ–
વચનો વીંટી દે…

ક્યારેક તો
વચનોના શસ્ત્રોથી
વચનો ઝઘડે.
વચનો મરી મરીને પાછાં જીવતાં થાય,
તગડાં થાય.
વચનો અજરામર રે…

વચનોને ગાદીતકીયા ગમે,
વચનો ખુરશીટેબલ પર જમે-
ખુરશી પર શીખર મંત્રણા થાય,
ચર્ચા થોકે થોકે થાય;
એનું છાપે બધું છપાય,
એની પસ્તી બહુ વખણાય !
ડોસીનું દળ્યું દળ્યું તે ઢાંકણીમાં ઉભરાય.

વચનો સૌને પાણી પાય,
વચનો સૌનું પાણી ભરે,
કહેશે, “તમને દેખીને હું તો મોહવશ, પાતળીયા મારા !”
વચનો શોક્ય બનીને રહેશે,
વચનો નીત્ય નવું કૈં કહેશે
વચનો એક દીવસ તો ધરમપત્નીને ઘરમાંથી ધક્કો દેશે.
વચનો ગાડીનો ધક્કો
વચનો ગાડીનો ડબ્બો
વચનો એંજીન ગાડીનું-ધક્કો મારીને
ચાલતી ગાડીએ ચડી જશે એકલાં હો..જી..
ડોસી સ્ટેશન પર રહી જશે એકલાં-ધુમાડો નીરખતાં રે…જી

કાળીયો કંદ ની વેલના પ્રકાંડમાં  કાંટા જેવી રચના હોય છે, પાંદડા ત્રણ-ત્રણની જોડી માં હોય છે. અને ભાલાકાર  લાંબા દેખાય છે... વેલ ની ફુટ પછી પાંચેક વર્ષ  બાદ  જમીન ની અંદર કંદ તૈયાર  થાય છે. કંદ કાળો દેખાય છે કાપતા કે બાફી ને કાપતાં પીળા રંગ નો ગર દેખાય છે કંદ પર ના રેષા સ્થૂળ હોય છે.

આ કંદ ઘણો પૌષ્ટીક હોય છે ખોરાક ના મુખ્ય ત્રણ ઘટકો કાર્બ. પ્રોટીન અને ફેટ નું ઉત્તમ સંયોજન છે. તાસીર માં ઠંડો છે. ઉપર જણાવ્યું એમ  મન પર પણ થોડીક માદક અસર કરે છે એટલે વેદનાહર પણ છે. ભાદરવા ના તાપ થી મન ને અને પિત્તના પ્રકોપ થી શરીર ને આ કંદ ઘણો રાહત અપાવે છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...