મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2019

ચરકસંહિતા નિદાનસ્થાન-2 ज्वर

तत्र प्रथमतः एव तावत् आद्यं अल् 
                                 लोभ अभिद्रोह कोप प्रभावन् 
अष्टौ व्याधीन् निदान पूर्वेण क्रमेण अनुव्याख्यास्यामः ।
तथा सूत्र संग्रहमात्र चिकित्सायाः चिकित्सितेषु च उत्तरकालं यत् उपचित-विकारान् अनुव्याख्यास्यामः ।
આ નિદાનસ્થાનમાં, લોભ, અભિદ્રોહ, કોપના  પ્રભાવથી જે પ્રાથમિક આઠ પ્રકારના વ્યાધિ થાય છે, એનું નિદાનપૂર્વક ક્રમથી, શરૂઆતમાં વર્ણન કરાયેલ છે.તેઓની માત્ર સૂત્રરૂપ ચિકિત્સા વર્ણવેલ છે. પછીથી ઉત્તરકાલમાં उपशय થી થતાં  વિકારોનાં પ્રમાણે ઔષધયોગ સાથે ચિકિત્સા કહેવાશે.
इह खलु ज्वर एव आदौ विकारानाम् उपदिश्यते 
तत् प्रथम तावत् शरीराणाम् 
અહિં જ્વર ખરેખર આદ્ય - પહેલો કહેવાય છે, કેમકે શરીરમાં  થતાં બધા વિકારોમાં સૌથી પ્રથમ ज्वर થતો હોય છે.
अथ खलु अष्टभ्यः कारणेभ्यो ज्वरः संजायते मनुष्याणाम् 
तत् यथा वातात् पितात् कफात् वातपित्ताभ्याम् वातकफाभ्याम् पित्तश्लेष्मभ्यां वातपितश्लेष्मभ्यः आगन्तोः अष्टमात् कारणात् ।। વાસ્તવિક રીતે આઠ કારણોથી જવર મનુષ્ય ને થાય છે.
વાયુથી, પિત્તથી, કફથી,
વાયુપિત્તથી, વાયુકફથી,  પિત્તકફથી,
વાયુપિત્તકફથી, 
આગંતુક કારણોથી
એમ આઠ કારણો  છે.
तस्य (ज्वरस्य) निदान पूर्वरूप लिङ्ग उपशय संप्राप्तिविशेषान् अनुव्याख्यास्यामः ।।
तत् यथा, रूक्ष लघु शीत व्यायाम वमन विरेचन आस्थापन शिरोविरेचन अतियोग वेग संधारण, अनशन, अभिघात, व्यवाय, उद्वेग, शोक, शोणिताभिषेक, जागरण, विषम-शरीरन्यासेभ्यो, अतिसेवितोभ्यो वायुः  प्रकोपम् अपद्यते ।
આહાર અથવા વિહાર થી रूक्ष लघु शीत ગુણની શરીરમાં અતિવૃદ્ધિ થાય, व्यायाम, वमन, विरेचन, आस्थापन, शिरोविरेचन, નો अतियोग થાય, ઉત્પન્ન થયેલ અધારણીય વેગોને બળપૂર્વક રોકી રાખવાની આદત, અભિઘાત, વ્યવાય
ઉદ્વેગ, શોક, રક્તસ્ત્રાવ, જાગરણ, વિષમ સ્થિતીમાં શરીરને રાખવાની ટેવ આ બધુ વધુ પ્રમાણમાં સેવાય તો,
વાયુ પ્રકોપ ને પામે છે.
स यदा प्रकुपितः प्रविश्य आमाशयम् उष्णः स्थानम् 
उष्णा सह मिश्रिभूत आद्यम् आहार-परिणाम-धातुं रस-नामनम् अनववेत्य रस-स्वेद-वहानि च स्त्रोतांसि च पिधाय अग्निम् उपहत्य पंक्तिस्थानात् उष्माणम् बहिः निरस्य केवलं शरीरम् अनुप्रपद्यते तदा ज्वरम् अभिनिर्वर्तयति ।।   આવી રીતે  પ્રકુપિત થયેલ તે વાયુ,
ઉષ્ણસ્થાન એવાં આમાશયમાં પ્રવેશે છે, ત્યાં રહેલ ઉષ્ણતાસાથે એકરૂપ થઇને, આહારના પાચનથી પ્રથમ ઉત્પન્ન થતી રસ ધાતુ ને વિંટળાઈને, રસ તથા સ્વેદવાહી સ્ત્રોતસને ઢાંકી દે છે. આથી અગ્નિ उपहत એટલે કે નષ્ટ થાય છે.
પક્તિસ્થાનમાં રહેલ ઉષ્ણતા બહાર આવી સમગ્ર શરીર માં ફેલાઇ જાય છે. આમ પ્રકુપીત વાયુ જવરને ઉત્પન્ન કરે છે.

આધુનીક તબીબી વિજ્ઞાન ની, Patho- Physiology of FEVER  Body temperature is determined by the balance between heat production by tissues,
             particularly the liver and muscles,
and heat loss from the periphery.
             Normally, the hypothalamic thermo-regulatory center maintains the internal temperature between 37° and 38° C.
             Fever results when something raises the hypothalamic set point, triggering vasoconstriction and shunting of blood from the periphery to decrease heat loss;
             sometimes shivering, which increases heat production, is induced.
             These processes continue until the temperature of the blood bathing the hypothalamus reaches the new set point.
              Resetting the hypothalamic set point downward (eg, with antipyretic drugs) initiates heat loss through sweating and vasodilation.
વાતપ્રકુપિત થવાથી થતાં વ્યાધિવિકાર લક્ષણો
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1.विषम आरम्भ-विसर्गित्वम्,
2.उष्मणो वैषम्यं,
3.तीव्र-तनुभावान् अवस्थानानि ज्वरस्य,
4.जरणान्ते, दिवसान्ते, निशान्ते, घर्मान्ते वा ज्वरस्य अभ्यागमनम् अभिवृद्धिः वा विशेषण
5. परुष अरुणवर्णत्वं नख, नयन, वदन, मूत्र, पुरीष, त्वचाम्
6.अत्यर्थम्  क्लृप्तीभावः च; મળ-મૂત્ર નો ખુલાસો ના થવો
7.अनेकविध उपमाः च चल अचलाः च वेदनाः तेषां तेषा अङ्ग अवयवानां;
तद्यथा-
8. पादयोः सुप्तता,
9. पिण्डिकयोः उद्वेष्टनं,
10. जानुनोः केवलानां च सन्धीनां विश्लेषणम्,
11. ऊर्वोः सादः સાથળોમાં શિથિલતા कटी-पार्श्व-पृष्ठ-स्कन्ध-बाहु-अंश-उरसां च भग्न-रुग्ण-मृदित-मथित-चटित- अवपाटित-अवनुन्नत्वम પરાણે કોઇ ધક્કા દેતું હોય इव
12. हन्वोः च अप्रसिद्धिः, જડબું ના ખુલે
13. स्वनः च  कर्णयोः,
14. शङ्खयोः निस्तोदः,
15. कषाय आस्यता  आस्यवैरस्यं वा,
16. मुखतालुकण्ठशोषः,
17.पिपासा, પાણી પીધાં પછી તરસ છીપાઇ જાય છે.
18. हृदयग्रहः,
19. शुष्कः छर्दिः,
20. शुष्ककासः,
21. क्षवथु उद्गारविनिग्रहः છીંક કે ઓડકાર રોકાઇ રહે.
22.अन्नरस-खेदः ભોજનનો સ્વાદ ના આવે
23. प्रसेका
24. अरोचक
25. अविपाकाः
26. विषाद
27. जृम्भा
28.विनाम વાંકા વળી જવું
29.वेपथु  ધ્રુજારી
30.श्रम
31.भ्रम  ચાલતાં પડી જવાય
32.प्रलाप
33.प्रजागर  નિંદર ના આવવી
34.रोमहर्ष
35.दन्तहर्षाः,
36.उष्ण-अभिप्रायता,
37. निदान- उक्तानाम् अनुपशयो विपरीत उपशयः च
इति वातज्वरस्य लिङ्गानि भवन्ति ।

પિત્ત પ્રકુપિત થવાનાં હેતુઓ :

उष्ण अम्ल लवण क्षार कटुक
अजीर्ण भोजनेभ्यो अतिसेवितेभिः
અજીર્ણમાં ભોજન કરવાની ટેવ, તથા ભોજનમાં વધુ પ્રમાણમાં ઉષ્ણ વીર્ય, ખાટાં, ખારા, ક્ષાર, તીખાં  દ્રવ્યો લેવાંથી,
तथा तीक्ष्ण आतप अग्नि सन्ताप श्रम क्रोध
विषम-आहारेभिः च पित्तं प्रकोपमापद्यते
વધુપડતો તીક્ષ્ણ સૂર્યતાપ, અગ્નિ, સંતાપ, શ્રમ, ક્રોધ, વિષમઆહાર પિત્ત નો પ્રકોપ કરાવે છે.

પિત્તજવરની સંપ્રાપ્તિ :

तत् यथा प्रकुपितम् आमाशया दूष्माणम् उपसृज्यात् आद्यम् आहारपरिणामधातुं रसनामान् अन्ववेत्य रस-स्वेदवहानि स्रोतांसि पिधाय द्रवत्वात् अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयत् केवलं शरीरम् अनुप्रपद्यते, तदा ज्वरम् अभिनिर्वर्तयति ||

અહિં સૂત્ર માં પિત્તના દ્રવત્વ ગુણથી અગ્નિનો નાશ થતો બતાવેલ છે, બાકીની સંપ્રાપ્તિ વાતજવર મુજબ જ છે.

પિત્તપ્રકોપથી થતાં વ્યાધિઓના લક્ષણો :
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा ।
આખાય શરીર માં એકસરખો તાવ આવે છે અને વધે છે.
2. भुक्तस्य विदाहकाले, मध्यन् दिने, अर्धरात्रे, शरदि वा विशेषेण,
3. कटुक -अस्यता,
4. घ्राण-मुख-कण्ठ-औष्ठ-तालुपाकः,
5. तृष्णा, પાણી પીધાં પછી પણ તરસ બુજાતી નથી.
6. मदो,
7. भ्रमो, આંખે અંધારા, આવે ઊલટી થાય ચાલી શકાય
8. मूर्च्छा,
9. पित्तः छर्दनम्,
10. अतीसारः,
11. अन्नद्वेषः,
12. सदनं,
13. खेदः, મન અંદર થી જ બળ્યાં કરે
14. प्रलापः,
15. रक्तकोठाभिनिर्वृत्तिः शरीरे, શરીર પર લાલ ચકામા થાય
16. हरितहारिद्रत्वं नख-नयन-वदन-मूत्र
-पुरीष-त्वचाम्,
17. अत्यर्थम् उष्मणः तीव्रभावः,
18. अतिमात्रं दाहः,
19. शीताभिप्रायता,
निदानोक्ता अनुपशयो विपरीत उपशयः च इति पित्तज्वरलिङ्गानि भवन्ति||

કફપ્રકોપક હેતુઓ:

स्निग्ध गुरु मधुर पिच्छिल शीत अम्ल लवण दिवास्वप्न हर्ष अव्यायामेभिः अतिसेवितेभ्यः श्लेष्मा प्रकोपमापद्यते ।।
પિત્તપ્રકોપ હેતુંમાં  ખારૂ અને ખાટું પણ रूक्ष લુખ્ખું ભોજન દ્રવ્ય છે જયારે કફપ્રકોપક હેતું માં ખારૂ અને ખાટું પણ સ્નિગ્ધ એટલે કે તળેલું હોય એવું ભોજન આવે છે.

કફજવરની સંપ્રાપ્તિ:

स यदा प्रकुपितः प्रविश्या आमाशयम् उष्मणा सह मिश्रीभूय आद्यम् आहारपरिणामधातुं रसनामानम अन्ववेत्य रसस्वेदवहानि स्रोतांसि पिधाय अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयन् केवलं शरीरमनुप्रपद्यते, तदा ज्वरमभिनिर्वर्तयति||

કફપ્રકુપિત વિકારોના લક્ષણો :

तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा
2. भुक्तमात्रे, पूर्वाह्णे, पूर्वरात्रे, वसन्तकाले वा विशेषेण,
3. गुरुगात्रत्वम्,
4. अन् अन्नाभिलाषः,
5. श्लेष्मप्रसेकः,
6. मुखमाधुर्यं,
7. हृल्लासः,
8. हृदयोपलेपः,
9. स्तिमितत्वं, ભીનાં કપડાંથી શરીર વિંટળાયેલ હોય.
10. छर्दिः,
11. मृदु अग्निता,
12. निद्राधिक्यं,
13. स्तम्भः,
14. तन्द्रा,
15. कासः,
16. श्वासः,
17. प्रतिश्यायः,
18. शैत्यं,
19. श्वैत्यं च नख-नयन-वदन-मूत्र-पुरीष-त्वचाम्,
20. अत्यर्थं च शीतपिडका भृशम् अङ्गेभ्य उत्तिष्ठन्ति,
21.उष्णाभिप्रायता,
निदानोक्त अनुपशयो विपरीतो उपशयः च इति श्लेष्म ज्वर लिङ्गानि भवति ।

વાત પિત્ત કફ ત્રણદોષ પૈકી એકથી વધારે દોષ ભેગાં મળીને द्वंद्वज અથવા સન્નિપાતક વિકારો ઉત્પન્ન  કરે એનાં હેતુઓ :

1.विषम- अशनात् વિષમ ખોરાક
( ફાસ્ટફુડસ, ફ્રોઝનફુડસ, ફયુઝનડિસીસ)
2.अनशनात् ભુખમરો
3.अन्नपरिवर्तात्  અન્યપ્રદેશનો ખોરાક એકાએક લેવો.
4.ऋतुव्यापत्तेः ૠતુકાળનું પરિવર્તન
5.असात्म्य-गन्ध उपघ्राणाद् અણગમતી વાસ સુંઘવાથી
6. विष उपहतस्य च उदकस्य उपयोगात्
દુષિત પાણીના ઉપયોગથી
7. नरेभ्यो गिरीणां च उपश्लेषात्
પર્વતની તળેટીમાં કે પાસે રહેતાં માણસોમાં
8. स्वेद-वमन-विरेचन-आस्थापन-अनुवासन -शिरोविरेचनानाम यथावत् प्रयोगात् मिथ्या संसर्जनात् वा
સંશોધન ચિકિત્સાના અંતે સંસર્જનક્રમનું પાલન ન થવાથી
9. स्त्रीणां च विषमप्रजननात् - કસુવાવડ અથવા સિઝેરીયન ડિલેવરી
10.प्रजातानां च मिथ्योपचारात्  પ્રસવ બાદ પ્રસૃતીચર્યાનું પાલનના કરવાથી.

यथा उक्तानाम् च हेतूनां मिश्रीभावात् यथानिदानं द्वन्द्वानामन्यतमः सर्वे वा त्रयो दोषा युगपत् कोपम् अपद्यन्ते, ते प्रकुपितास्तयैव अनुपूर्व्या ज्वरम् अभिनिर्वर्तयन्ति तत्र तत् उक्तानां ज्वरलिङ्गानां मिश्रीभाव विशेषदर्शनात् द्वान्द्विकमन्यतमं ज्वरं सान्निपातिकं वा विद्यात् ।

आगुतंक ज्वर ના હેતુઓ...
1. अभिघात - શસ્ત્ર, પથરાં, લાકડી વિગેરેથી શરીરને માર પડવાથી
2. अभिषङ्ग - કામ, ક્રોધ, શોક જેવાં માનસિક કારણોથી વ્યથીત થવાથી
3. अभिचार - મંત્ર મારણ કામણ ઉચ્ચાટન કે ગ્રહપીડાં થી
4. अभिशापेभ्य - સિદ્ધ, વૃદ્ધ, ગુરૂ ની નારજગી વ્હોરવાથી
आगन्तुः हि व्यथापूर्वो अष्टमो ज्वरो भवति स किञ्चित् कालम्आगन्तुः केवलो भूत्वा पश्चात्  दोषैः अनुबध्यते ।

तत्र अभिघातजो वायुना दुष्टशोणित अधिष्ठ अनेन, અભિઘાત થી વાયુ, રક્તને દુષિત કરીને તાવ લાવે છે.

अभिषङ्गजःपुनः वातपित्ताभ्याम्,
અભિષંગ માં જ્વર, વાત+પિત્ત દોષથી થાય છે.

अभिचार अभिशापजौ तु सन्निपातेन अनुबध्येते । અભિચાર અને અભિશાપથી થયેલ જવર, ત્રિદોષજ હોય

स (आगंतुक ज्वर) सप्तविधात् ज्वर अद्विशिष्ट
लिङ्ग उपक्रम समुत्थानत् अद्विशिष्टो वेदितव्यः,
कर्मणा साधारणेन च उपचर्यते इति
अष्टविधा ज्वरप्रकृतिः उक्ता ।
આ રીતે અભિઘાત વિગેરે  ચાર હેતુઓથી થતો આગંતુકજવર,  એ આગળ દોષાદિના કારણે કહેલાં સાત પ્રકારના જ્વરથી,  હેતુઓ અને લક્ષણોની દ્રષ્ટિએ જુદો જ છે...
પણ, એનું ચિકિત્સાકર્મ તો દોષાદી જવર ની જેમ સાધારણ જ હોય છે,
આમ આઠ પ્રકાર ના જવર કહ્યાં.
ज्वरस्य एक एव सन्तापलक्षणः
तत्एव अभिप्राय विशेषात्
સંતાપ એ તાવનું એક માત્ર લક્ષણ છે.
એવો ખાસકરીને અભિપ્રાય છે.
increasing body temperature above 38°c its called FEVER.

द्विविधम् अचक्षते,
निज-आगन्तु विशेषात् च
तत्र निजं
द्विविधं त्रिविधं चतुर्विधं सप्तविधं
चाहुर्भिषजो वातादिविकल्पात् ।

જ્વર ના વિશેષ કરીને બે પ્રકાર  નિજ (દોષાદીથી) અને આગંતુક છે. નિજ જવર ના બે, ત્રણ,  ચાર કે સાત એમ પ્રકાર  વાતાદિદોષથી કહેલ છે.

તાવના પૂર્વરૂપ 
तस्य इमानि पूर्वरूपाणि भवन्ति;
तत् यथा-
1.मुखवैरस्यं,
2.गुरुगात्रत्वम्,
3.अन् अन्नाभिलाषः,
4. चक्षुषोः आकुलत्वम्,
5. अश्रु आगमनं,
6. निद्राधिक्यम्,
7. अरतिः બેચૈની
8. जृम्भा બગાસાં
9. विनामः,
10. वेपथुः,
11. श्रम
12. भ्रम
13. प्रलाप
14. जागरण
15. रोमहर्ष
16. दन्तहर्षाः,
17. शब्द-शीत-वात-आतप, सहत्व असहत्वम्,
18. अरोचक
19. अविपाकौ,
20. दौर्बल्यम्,
21. अङ्गमर्दः,
22. सदनम् શિથિલતા
23. अल्पप्राणता,
24. दीर्घसूत्रता,
25. आलस्यम्,
26. उचितस्य कर्मणो हानिः
27. प्रतीपता स्वकार्येषु,
28. गुरूणां वाक्येषुभि असूया,
29. बालेभ्यः प्रद्वेषः,
30. स्वधर्मेषु चिन्ता,
31. माल्य अनुलेपन भोजन परिक्लेशनं,
32. मधुरेभ्य भक्षेभ्यः प्रद्वेषः,
33. अम्ललवणकटुक प्रियता च,
इति ज्वरस्य पूर्वरूपाणि भवन्ति प्राक् सन्तापात्
अपि च एनन् सन्ताप आर्त मनु बधन्ति
इति एतानि एक एकशो ज्वर लिङ्गानि व्याख्यातानि भवन्ति विस्तार समासभ्याम्

ज्वरः तु खलु महेश्वरकोपप्रभवः
ખરેખર, તાવ તો મહેશ્વરના કોપપ્રભાવથી થાય છે.
सर्वप्राणभृतां प्राणहरो,
સર્વ પ્રાણીઓના પ્રાણને હરનાર છે.
देह इन्द्रिय मनः तापकरः,
શરીર ઇન્દ્રિય મન ને તપાવે છે
प्रज्ञाबलवर्णहर्ष उत्साह ह्रासकरः,
બુદ્ધિ, બલ,  રૂપ, ખુશી, ઉત્સાહને ઓછી કરે છે.
श्रमक्लममोह आहार-अपरोध सञ्जननः;
શ્રમ કલમ મોહ અને આહાર પર અરૂચી પેદાં કરે છે
ज्वरयति शरीराणीति ज्वरः,
શરીર ને જીર્ણ કરેછે આથી જવર કહેવાય છે
न अन्ये व्याधीः तथा दारुणा बहु उपद्रवा दुः चिकित्स्याः च यथा अयम्
આના જેવી બીજી કોઇ બિમારી, દારુણ બહુ ઉપદ્રવવાળી કે  મુશ્કેલ ચિકિત્સા વાળી નથી હોતી
 स सर्वरोगाधिपतिः,
આ બધા રોગોનો અધિપતી છે.
नाना-तिर्यक् योनिषु च बहुविधैः शब्दैः अभिधीयते
મનુષ્ય  સિવાય ના અન્ય સજીવો માં પણ જુદાં જુદાં નામથી થાય છે ઓળખાય છે.
सर्वे प्राणभृतः सज्वरा एव जायन्ते
सज्वरा एव म्रियन्ते च;
દરેક સજીવ જવર સાથે જન્મે અને મૃત્યું પામે  છે.
स महामोहः, तेन अभिभूताः प्राक् दैहिकं देहिनः कर्म किञ्चित् अपि न स्मरन्ति, सर्वप्राणभृतां च ज्वर एव अन्ते प्राणानादत्ते
તે મહામોહ છે, એનાથી અભિભૂત થઇ ને દરેક શરીરધારીને શરીરથી પૂર્વે કરાયેલ કર્મોનું સ્મરણ પણ રહેતું નથી, અંતે જ્વર જ દરેક જીવનો,  પ્રાણ હરી જાય છે.
જ્વરનું ચિકિત્સાસૂત્ર :
तत्र पूर्वरूप दर्शने ज्वर आदौ वा
हितं लघु अशनम् अपतर्पणं वा,
ज्वरस्य आमाशय समुत्थत्वात्;
ततःकषायपान अभ्यङ्ग स्नेह स्वेद प्रदेह परिषेक
अनुलेपन वमन विरेचन आस्थापन अनुवासन
उपशमन नस्यकर्म धूप धूमपान अञ्जन
क्षीरभोजन विधानं च यथास्वं युक्त्या प्रयोज्यम् ।
અહિં જવર  એટલે  કે તાવની લાઇન ઑફ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ ને સ્ટેપ બાય સ્ટેપ  ત્રણ પાર્ટ માં વહેંચેલ છે...
પહેલાં ભાગમાં જણાવે છે કે,
જ્વર આમાશય સમુત્થ વ્યાધિ છે
એટલે જવરના પૂર્વરૂપ દેખાય કે તુરંતજ
ભોજનમાં દ્રવ્યો, જલદી પચે એવાં લઘુ અને હિતકારી તથા અપતર્પણ કરે એવાં જ લેવાં..
બીજો ભાગ वैकारीक દોષ-દુષ્ય શોધનનો છે
જેમાં કષાયપાન વિગેરે બતાવેલ છે.
આ વ્યાધિની  મુખ્યચિકિત્સાનો ગાળો છે.
ત્રીજો અને અંતીમ ભાગ શમનકર્મનો છે.
જેમાં મુખ્ય શોધનચિકિત્સાકર્મો માં  ખૂણે ખાંચરે  રહી ગયેલ દોષ દુષ્યનું સંપૂર્ણ નિર્મૂલન કરવા હેતુ છે, 
આથી તાવ ફરી ઉથલો ના મારે. 
જવરના કારણે જે બલ અને વર્ણ ની હાની થઇ છે એ દૂર કરવા માટે क्षीर भोजन એટલે કે દૂધ યુક્ત ભોજનનું વિધાન દર્શાવેલ છે.
જીર્ણ જવરનું ચિકિત્સા સૂત્ર
जीर्णज्वरेषु तु सर्वेषु एव सर्पिषः पानं प्रशस्यते
જીર્ણજવરમાં તો, બધા ઉપાયોમાં ઘી પીવું એજ કલ્યાણકારી છે.
यथास्व औषधसिद्धस्य;
દોષ પ્રમાણે ઔષધિથી સિદ્ધ કરાયેલ ઘી હોવું જોઇએ.
सर्पिः हि स्नेहात् वातं शमयति,
संस्कारात् कफं, शैत्यात् पित्तम् उष्माणं च;
ઘી સ્નિગ્ધ હોવાથી વાયુનું શમન કરે છે,
સંસ્કાર ને પામે છે એટલે કફનું શમન કરે છે અને
શીતલ હોવાથી પિત્તની ઉષ્ણતાને શમાવે છે.
तस्मात् जीर्ण ज्वरेषु सर्वेषु एव सर्पिः हितम्
उदकम इव अग्नि प्लुष्टेषु द्रव्येषु इति  ।
જેમ અગ્નિથી દાઝેલા દ્રવ્ય પર પાણીનો છંટકાવ થાય છે એમ જીર્ણજવરમાં બધાથી ઉત્તમ ઘી છે.
यथा प्रज्वलितं वेश्म परिषिञ्चन्ति वारिणा नराः
शान्तिम् अभिप्रेत्य तथा जीर्णज्वरे घृतम्
જેમ સળગતાં મકાન ને હોલાવવા લોકો પાણીનું પરીસિંચન કરે છે, એમ જીર્ણજવર ની શાંતી માટે ઘી ના ઉપયોગ નો અભિપ્રાય રહે  છે.
स्नेहात् वातं शमयति,
शैत्यात् पित्तं नियच्छति
घृतं तुल्यगुणं दोषं संस्कारात्तु जयेत् कफम्
કફ ના જેવાં સમાનગુણ ઘી ધરાવતું હોવા છતાં સંસ્કાર ને પામેલ હોય તો કફ ને જીતી લે છે.
न अन्यः स्नेहः तथा कश्चित् संस्कारम् अनुवर्तते यथा सर्पिरतः सर्पिः सर्वस्नेह उत्तमं मतम् । અન્ય સ્નેહ ની સાપેક્ષે ઘી એ સંસ્કાર ને સારી રીતે ગ્રહણ કરે છે માટે બધા ઔષધિય સ્નેહોમાં ઔષધિય ઘી ઉત્તમ સ્નેહ છે.

व्याख्यातवान् ज्वरस्याग्रे 
                             निदाने विगतज्वरः । 
भगवान् अग्निवेशाय
                        प्रणताय पुनर्वसुः ।।

અનુષ્ટુપ છંદ ની ગોઠવણી કરવા, આ સૂત્રના શબ્દો છંદ બંધારણ માટે ગોઠવાયા છે.
ભાવાર્થ...
સમર્પિતભાવથી ચરણ સમીપે બેઠેલા અગ્નિવેશને, 
નિદાનસ્થાનમાં બધી વ્યાધિઓમાં અગ્રેસર એવાં જવરને સંપૂર્ણ પ્રભાહિન કરવાં એને સંબંધિત બધુ જ વર્ણન ભગવાન પુનર્વસુ એ વ્યાખ્યાયીત કર્યું .


પ્રાચિનકાલમાં અગ્નિવેશતંત્રનો પ્રારંભ લગભગनिदानस्थान થયેલ હશે. તંત્ર માંથી સંહિતાનો પાદુર્ભાવ થયો હશે ત્યારે સૂત્રસ્થાન પ્રથમ ક્રમે આવ્યું હશે, સંહિતાનો મૂળ અર્થ, सम्यक् हितं प्रतिपाद्यं यस्याः संहिता એટલે કે, અનેક વિદ્વાન લોકો દ્વારા જે કાંઇપણ પ્રજા માટે હિતકારી હોય એવાં સુધારા વધારા સાથે નિર્માણ પામેલ ગ્રંથ એટલે સંહિતા.સૂત્રસ્થાનમાં સમગ્ર સંહિતાના વિષયોની ફૂટનોટસ અને ઇમ્પોર્ટન્સ જે તે કાલખંડના વર્તમાન  પ્રચલિત રીતી - વિધિ પ્રમાણે લેટસ્ટ વિષયવસ્તુનો સંગ્રહ કરાયેલ હોય છે. નિદાનસ્થાનના પ્રથમ અધ્યાયની શરૂઆતમાં જ 
त्रिसूत्रीय आयुर्वेद એટલે કે हेतुः लिङ्गः અને  औषधः નું સ્મરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ નિદાનપંચક અને પછી ત્રણેય દોષોનાં પ્રકુપિત થવાનાં હેતુઓ તથા લક્ષણો લખવામાં આવ્યા છે. આ અધ્યાયમાં  ज्वर ને કોઇ એક व्याधिની સાપેક્ષે, અન્ય વ્યાધિઓના  મુખ્ય અને પ્રારંભિક લક્ષણ તરીકે ઇન્ટ્રોડયુસ કરાયેલ છે.
   ज्वरनिदान अध्याय એ સમગ્ર रसप्रदोषज व्याधिविकार નું પ્રતિનિધિત્વ કરે છે. આથી જયારે  રસધાતુ,  વાતાદિ દોષોથી દુષિત થવાથી શરીરમાં જે વિકાર ઉત્પન્ન થાય એમાં પ્રારંભિક હેતુ, લિંગ અને ઔષધ ज्वर ના જ લાગુ પડે છે. સુશ્રુતસંહિતાના ઉત્તરસ્થાનમાં અધ્યાય 39 ની વિષયવસ્તુ ચરકસંહિતાના નિદાનસ્થાનના અધ્યાય-1 સાથે સમન્વય કરે છે. 
    સુશ્રુતસંહિતામાં द्वंद्वज અને संनिपातीक ज्वर ના હેતુઓ એકસાથે વર્ણવેલ છે. જયારે એ પૈકી अभिघातादि ચાર હેતુઓ ચરકસંહિતાના આ અધ્યાય માં आगंतुकज्वर निदान અંતર્ગત સમાવિષ્ટ છે.
     શ્રાવણ સુદ પંચમી... મહર્ષિ ચરકજયંતી ની ઉજવણી ના ભાગરૂપે,  આ બ્લોગ પર ચરકસંહિતાનાનિદાનસ્થાનના સૂત્રો ને સંધિવિચ્છેદ કરીને સરળતાથી અને આધુનીક પરીપેક્ષ્યમાં સમજવાનો પ્રયાસ આદરેલ છે.
                        - ડૉ.ભાવેશ આર. મોઢ (ગાંધીધામ- કચ્છ.)



ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...