બુધવાર, 19 જૂન, 2019

ચૈત્રી માં લીમડો

ચૈત્ર માં લીમડાનુંસેવન આરોગ્યદ્દષ્ટિકોણથી...

આજના   ઇન્ટરનેટયુગમાં વર્ષ દરમિયાન આવતાં ઉત્સવોની ઊજવણીઓને સોશિયલમિડિયા થકી પ્રચાર- પ્રસારને ઘણો વેગ મળેલ છે.
એમાંય મૂળભૂત પરંપરાગત તથ્યો પર પૂરતાં સંશોધન અને યથાર્થ ને જાણ્યા વિના, 
મિથ્યા અને અતિશયોક્તિ પૂર્વક ની બાબતો જણાવીને હદ પાર કરી દેવાય છે...
ફાગણ ના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડા માં ફ્લાવરીંગ ની સીઝન, નવા પાંદડા અને પુષ્પો સાથે એ મ્હોરી ઊઠયો છે, લીમડા- આંબા વિગેરે ના ઝીણાં પુષ્પગુચ્છ ને મ્હોર કહેવાય છે...

      ગુજરાતીમાં  લીમડો શબ્દએ  સંસ્કૃતમાં निम्ब શબ્દ નું કંઈક અંશે લોકબોલીમાં થયેલ અપભ્રંશ છે, પ્રાચિન કાળના  અંગ્રેજીમાં એને Margosa કહેવાતો આજે તો અંગ્રેજી માં પણ Neem જ પ્રચલિત છે, આ લીમડાનું લેટીન સાયંટીફીક નામ Melia Azadirachta Indica છે... સામાન્ય રીતે લીમડાનો ફેલાવો,  દરીયાઇ નજીકની મરૂભૂમી માં સારો થાય છે... ગુજરાતની આબોહવા અને જમીન લીમડાના વૃદ્ધિ -વિકાસ માટે ઘણી માફક આવી છે, મૂળ પર્શિયન શબ્દ आझाद અને ઝાડ માટે વપરાતો  दरखत શબ્દ પર થી સાંયટીફીક નામ Azadirachta  રાખ્યું છે... 
નામ પ્રમાણે ગુણવાચક શબ્દ निम्ब પણ તો છે જ ને...

1919 માં ભારતીય વનસ્પતિ વૈજ્ઞાનિકો એ  લીંબોળીના તેલ માંથી એક કાર્યકારી તત્વ શોધી કાઢયું જેને Margosine Acid નામ આપ્યુ, પછી 1920 માં કોલકતા કેમીકલ્સ કંપની એ  લીમડા-સાબુ બનાવ્યો જેનું નામ Margo રાખ્યું... ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર માંથી મળતાં લીમડાના સાબુ જેવી જ પદ્ધતિ અને ગુણકર્મ ધરાવતો આ Margo Soap 1988 માં વિશ્વના ટોપ પાંચ  સાબુઓની બ્રાન્ડ માંનો એક હતો...

છેક ૠગ્વેદકાળથી અત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે.

આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઇએ તો, આચાર્ય ભાવમિશ્રે જે લીમડા ના ગુણકર્મ વર્ણવેલ છે એમાં,
निम्बः शितो, लघुः, ग्राही, कटु-पाको, अग्निवातानुत्,  अहृद, श्रमहृत, कास ज्वर अरुचि कृमि प्रणुत्  निम्बपत्रम् स्मृतम् नेत्र्यम् ।

લીમડા ના પાંદડા પાતળા હોય છે, એટલે બાષ્પીભવન  વધુ કરે છે, વધુ બાષ્પીભવન થવાથી આસપાસની હવામાં ઠંડક પ્રસરે છે આથી ધોમધખતા તાપમાં  લીમડા ની છાયા શિતલ લાગે છે...

લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો, એ પચવામાં લઘુ એટલે કે હળવો છે, ગ્રાહી છે એટલે કે અન્ય વનસ્પતિઓ નાં પાંદડા - સ્વરસ વિગેરે વધારે લેવાય તો ઝાડા થાય છે,પણ  એવું લીમડા માં થતુ નથી. લીમડો પચ્યા પછી કટુવિપાકી થાય છે.

લીમડાના સેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે.

લીમડો સ્વાદે અને ગંધે કડવો હોય છે એટલે અહૃદ - મન ને ગમતો નથી, પણ શ્રમહર છે.
કડવો હોવાથી જ અરૂચી, તાવ અને કૃમિ તથા કફજ અને પિત્તજ ખાંસી ને પણ દૂર કરે છે

લીમડોએ આંખ માટે  ઉત્તમ છે, કેમ કે આંખના રોગ પિત્ત અને કફ ના સંચયથી થતાં હોય છે, જેને લીમડો દૂર કરે છે...

ગુજરાત ના જ પ્રખર કર્માભ્યાસુ વૈદ્ય શોઢલ પોતાના નિઘંટુ માં લખે છે કે,
निम्बवृक्षस्य पंचाग रक्तदोषहरं
पित्तं, कण्डुं व्रणम् दाहम् कृष्ठम् च एव विनाशयति ।।

યોગરત્નાકર માં લખ્યું છે કે,
फाल्गुने चैत्रमासे च जन्तुपीडाकरो मतः
शीतल अम्बु समुद्भूतः श्लेष्मा राजा प्रकीर्तितः ।।
ફાગણ - ચૈત્રમાં  શિતલ જળથી ઉત્પન્ન થનાર કફદોષ નામનો રાજા સર્વ પ્રાણીઓને પીડનાર તરીકે માનવામાં આવે છે...

ચૈત્ર પછી આવતો વૈશાખ જેઠ માં પાછો આ રીતે  પિત્તદોષ ને રાજા કહેવાય છે...

આરોગ્યશાસ્ત્ર ના દ્રષ્ટિકોણથી વસંતમાં  શરીરમાં સંચિત થયેલો કફ,  પ્રસાર અને પ્રકોપ પામે છે, ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર ની ભૌગોલીક સ્થિતિ પ્રમાણે આબોહવા ને લઇ ને  વસંતઋતુ ફાગણ-ચૈત્ર ની ગણાય છે. હોળી ની આસપાસ ઑરી - અછબડાં ના દરદી વધવા લાગે છે, પ્રાચીનકાળ માં શિતલાદેવી સાથે નિમ્બપત્ર  પણ દર્શાવેલ છે, એટલે વસંતઋતુ, કફનો પ્રકોપ અને લીમડાના પાંદડાનો ઔષધિય પ્રયોગ એ ત્રણે અસર પરસ જોડાયેલાં છે .

આ સમયગાળા માં ભુખ જ ના લાગવાની ફરિયાદો સાથે દરદીઓ વધવા લાગે છે,

આ વસંત ૠતુ માં જો સંચિત થયેલ કફને  વમનકર્મ દ્વારા બહાર કાઢી લેવાય તો, અરૂચી, ખંજવાળ, ગુમંડા આદી થી શરીર સુરક્ષીત રહે  છે... એ મૂળ ચિકિત્સા સિદ્ધાંત આધારીત લોક વૈદક માં ,

લીમડાંના ત્રણ - ચાર નવ પલ્લવીત પાંદડા તથા ત્રણચાર ફુલમંજરીઓની ડાળીઓ એકસાથે લસોટી એના એક ગ્લાસ પાણી માં બનાવેલ મિશ્રણ માં જરીક સૈંધવ નમક નાંખી ને પ્રાતઃ પીવાય  તો સંભવતઃ વમન થઇ જાય છે જેથી  સંચિત કફ બહાર આવી જાય છે...
અને આ પ્રક્રિયા  સાત દિવસ પ્રતિદિન કરાય છે,

જે વ્યક્તિઓને  ગ્રીષ્મમાં પિત્તનો પ્રકોપ રહેતો હોય એમને 10 ગ્રામ જેટલાં  લીમડાં  નવા તાજા  પાન  10 ગ્રામ સાકર સાથે ચાવી ને ખાઇ લેવાં આ પ્રયોગ પણ ચૈત્ર સુદ એકમ થી સાત દિવસ જ કરવો. મહારાષ્ટ્ર માં ગુડી પૂજન બાદ આજ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

દક્ષિણ ભારત ના કેટલાક રાજયો માં જે ચૈત્રમાસમાં નવવર્ષ ની ઉજવણીનો Ugadi તહેવાર મનાવાય છે, એમાં બનતી ખાસ વાનગી Pachadi માં લીમડાના પુષ્પો નંખાય છે, એ પણ આરોગ્યતાનો સંદેશ આપે છે.

વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે,
કફ અને મેદ ના કારણે થતાં कृष्ठ થી Cancer સુધીના  વિકારોમાં લીમડાના પાંદડા ઉપયોગી છે...
પણ લીમડાનું અતિસેવન મનુષ્યોના શુક્રાણુઓનો નાશ કરે છે, લીંબોળીના ચોખ્ખા તેલનું  પીચું યોનિમાં સંભોગ પૂર્વે 30 મીનીટ પહેલા ધારણ  કરી પછી જો,  ૠતુકાળ સમયે પણ સંભોગ કરાય તો પણ ગર્ભ રહેતો નથી એટલે કે  યોનીમાં સ્ખલીત થતાં શુક્રાણુંઓ લીંબોળીના શુદ્ધ તેલ ની અસર થી નાશ પામે છે...

ઊંટ નો પ્રિય ખોરાક  લીમડો છે, પણ કુદરતી રીતે  ઊંટના શરીર માં વીર્યાશય એટલે કે  Seminal vesicles હોતું જ નથી આથી એના વીર્યમાં રહેલ શુક્રાણુઓ લીમડાના અતિસેવન થી નાશ પામતાં નથી.

લીમડ નો જંતુનાશક તરીકે ઉપયોગ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલ છે, એનાં પાંદડા તથા લીંબોળી ના તેલ ના ઉપયોગ થી, આથી ખેતપેદાશ માં પણ જંતુઓથી રક્ષણ માટે ઉપયોગી તો છે જ, શ્વેત ચંદન જેને સુખડ પણ કહે છે એની ખેતી માં લીમડાનું યોગદાન સારૂ છે.. એક શ્વેતચંદન ની આસ પાસ જો લીમડા  વવાય તો ચંદન સારી રીતે વિકસે છે, સુખડ માં સુંગધ અને શિતલતા છે પણ   લીમડો માં શિતલતા અને આરોગ્યતા પણ છે.

લીમડા નો સ્વાસ્થ્ય રક્ષા તરીકે કે દેખાદેખી માં શરીર પર વધુ અને જરૂરીયાત વિના પ્રયોગ કરવો હિતાવહ નથી...
લીમડા નું વાવેતર અને સંવર્ધન દરેક માટે જરૂરી છે. લીમડો એ આજના સમય માં કલ્પવૃક્ષ છે. જે ઇચ્છો એ આપે છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...