ઊંઝા ની બાજુમાં ( 5 કિ.મી ) ના અંતરે ઐઠોર ગામ આવેલ છે અહિંયા 700 વર્ષ પુરાણુ ગણપતી મંદિર આવેલ છે..ઐઠોર થી વિસનગર જતાં રસ્તા ની બંન્ને તરફ નીચેની ઇમેજ માં દર્શાવેલ ખીજડા ના વૃક્ષો નજરે પડે છે. .
ખીજડો એટલે વૈદિક કાળ નુ શમી વૃક્ષ જે યજ્ઞ ની સમીધા માટે વપરાય તથા દશેરા ના દિવસે પૂજન થાય. . મહાભારત માં પાંડવો ના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરી માં પ્રવેશ પહેલા પાંડવો એ પોતાના દિવ્ય શસ્ત્ર ખીજડા માં છુપાવેલા. .. અમુક પ્રજા ખીજડા માં દેવતા નો વાસ માને છે એટલે એને અન્ય ઝાડ ની જેમ કાપી નાંખી ને નાશ કરતી નથી. ખીજડા નાં મૂળ ઘણાં ઉંડે સુધી જાય એટલે ગમે એવી કુદરતી આફતો વાવઝોડુ, વરસાદ કે દુષ્કાળ માં પણ અડીખમ રહે છે. છપ્પનીયા દુષ્કાળ માં ખીજડા ની શીંગો જે દેખાવે ચોળી જેવી અને પોષ્ટીક હોય છે તથા કુણી છાલ ખાઇ ને લોકો એ કપરા દિવસો ટાળેલા. . ખીજડા નુ લાકડુ ગમે એટલા વર્ષ પાણી માં રહે તો પણ કોહવાઈ જતુ નથી એટલે કુવા - વાવ આદી ના નિર્માણ માં ઉપયોગી હતુ. આ લાકડા નો બળતણ તરીકે ઉષ્મા - તાપ સખત હોય એટલે બોઇલર માં વપરાય છે. આજે પણ રાજસ્થાન માં ખીજડા ની શીંગો જેને સેંગરી ( होंगरी ) કહે છે તેને શાક, અથાણા અને સુકવણી કરી ખાદ્ય તરીકે લે છે.
ભર ઉનાળે ઠંડક આપતુ આ લીલુછમ વૃક્ષ આ ગુણો ને લઈને દેવતાઇ વૃક્ષ તરીકે સ્વીકારી લેવાયુ હશે. એની લીલી પત્તી ( પાંદડા ) પ્રથમ પૂજનીય શ્રી ગણેશજી ની પૂજા માં મુખ્ય હોય છે એટલે ઐઠોર ની આસપાસ સેંકડો ખીજડા અત્યારે પણ જોવા મળે છે.
ખીજડો એટલે વૈદિક કાળ નુ શમી વૃક્ષ જે યજ્ઞ ની સમીધા માટે વપરાય તથા દશેરા ના દિવસે પૂજન થાય. . મહાભારત માં પાંડવો ના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરી માં પ્રવેશ પહેલા પાંડવો એ પોતાના દિવ્ય શસ્ત્ર ખીજડા માં છુપાવેલા. .. અમુક પ્રજા ખીજડા માં દેવતા નો વાસ માને છે એટલે એને અન્ય ઝાડ ની જેમ કાપી નાંખી ને નાશ કરતી નથી. ખીજડા નાં મૂળ ઘણાં ઉંડે સુધી જાય એટલે ગમે એવી કુદરતી આફતો વાવઝોડુ, વરસાદ કે દુષ્કાળ માં પણ અડીખમ રહે છે. છપ્પનીયા દુષ્કાળ માં ખીજડા ની શીંગો જે દેખાવે ચોળી જેવી અને પોષ્ટીક હોય છે તથા કુણી છાલ ખાઇ ને લોકો એ કપરા દિવસો ટાળેલા. . ખીજડા નુ લાકડુ ગમે એટલા વર્ષ પાણી માં રહે તો પણ કોહવાઈ જતુ નથી એટલે કુવા - વાવ આદી ના નિર્માણ માં ઉપયોગી હતુ. આ લાકડા નો બળતણ તરીકે ઉષ્મા - તાપ સખત હોય એટલે બોઇલર માં વપરાય છે. આજે પણ રાજસ્થાન માં ખીજડા ની શીંગો જેને સેંગરી ( होंगरी ) કહે છે તેને શાક, અથાણા અને સુકવણી કરી ખાદ્ય તરીકે લે છે.
ભર ઉનાળે ઠંડક આપતુ આ લીલુછમ વૃક્ષ આ ગુણો ને લઈને દેવતાઇ વૃક્ષ તરીકે સ્વીકારી લેવાયુ હશે. એની લીલી પત્તી ( પાંદડા ) પ્રથમ પૂજનીય શ્રી ગણેશજી ની પૂજા માં મુખ્ય હોય છે એટલે ઐઠોર ની આસપાસ સેંકડો ખીજડા અત્યારે પણ જોવા મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો