ગુરુવાર, 27 જૂન, 2019

ડૉકટર, દરદી અને સારવાર ખર્ચ...

કોઇપણ ચિકિત્સાપદ્ધતિના ચિકિત્સક, જયારે આવનાર દરદી અથવા દરદી ના સગાઓ પાસેથી જે સારવાર ખર્ચ વસુલે છે,

તે .....       તાત્કાલીન સમય, પરીસ્થિતિ અને 
ચિકિત્સકના પોતાના સ્થાન આધારીત હોય છે.

સમય ... દર્દી, જો ચિકિત્સકે જે રોજીંદા, સામાન્ય દરદીઓ તપાસવા અને સારવાર આપવાનો સમય નિર્ધારીત કરેલ હોય એ સિવાય ના સમયે આવે તો...
પરિસ્થિતિ... દરદી ને જે  વ્યાધિ - વિકાર  ઉદ્ભવેલ હોઇ  એની અસર થી એના પોતાના શરીરની પરિસ્થિતિ તથા એના અને એના સગા-સંબંધીઓની, એ વ્યાધિ વિકારને લઇને ઊભી થયેલ  મનોસ્થિતિ (ભય પમાડે એવી ભાવિ આશંકાઓ) થી...
સ્થાન... ચિકિત્સકએ કરેલ, તબીબી વિજ્ઞાનનો શાસ્ત્રીય તથા  ચિકિત્સા કર્મોનો અભ્યાસ, તથા વ્યવસાયનું ક્ષેત્ર નેે અનુલક્ષીને...
                  આ ત્રણ ફેકટર્સ - પરીબળો આધારીત દર્દી પાસે થી ચિકિત્સકો સારવાર ખર્ચ વસુલતાં હોય છે...

દર્દી તથા દરદીના સગા-સંબંધી તરફથી, માત્ર પેદાં થયેલ વ્યાધિ-વિકારથી ઝડપી મુક્તિ થવી એ જ, મુખ્ય આકાંક્ષા હોય છે તથા શરૂઆતની સારવારમાં ધન અને સમયની ચુકવણી એ એમના માટે ગૌણ બાબત રહે છે...
પણ જો એમની અપેક્ષા પ્રમાણે એ સારવારનું પરીણામ ના આવે તો,
એ સારવાર આપનાર અને ખર્ચ વસુલ કરનાર ચિકિત્સક,
એમના અવચેતન મનથી, સીધો જ લુંટારો બની જાય છે અથવા માની જ લેવાય છે...

આ દેશમાં ચિકિત્સાની દ્રષ્ટિએ ચિકિત્સકની ત્રણ કેટગરી સમાજમાં જણાઇ આવે છે..
જેમાં જનરલપ્રેકટીશનર્શ G.P.,
કન્સલ્ટન્ટ C.P. તથા સુપર સ્પેશીયાલીસ્ટ.
આ ત્રણેય ચિકિત્સકોમાં સામાન્ય રીતે,
G.P. ની ફી ₹.50/- થી ₹.100/-
C.P. ની ફી ₹.150/- થી 350/-
સુપર સ્પેશીયાલીસ્ટ ની ફી ₹.500/- થી 1500/- હોય છે.

 G.P. પાસે દરદીઓનો ધસારો વધુ હોય છે એટલે કન્સલ્ટન્ટ કે સુપર સશીયાલીસ્ટ ની સાપેક્ષે ઓછી ફી લેતાં દેખાતાં હોવા છતાં મહીનાના અંતે દવાખાનાનો નિભાવખર્ચ બાદ કરતાં, ત્રણેય ની કુલ કમાણી લાખ થી ત્રણ લાખ સરેરાશ બચત સ્વરૂપે રહે છે...

કુદરતનો નિયમ છે,
દેખાતી કે ઉત્પન્ન થતી ઊર્જા એકબીજા માંથી પરીવર્તિત થઇને પેદાં થાય છે, આથી  સૃષ્ટિની કુલ ઊર્જા/ શક્તિનો જથ્થો અચળ રહે છે. 

આ જ રીતે  વિશ્વનું કુલ ધનનો જથ્થો પણ અચળ હોય છે એ પણ ઊર્જા કે શક્તિ સ્વરૂપે હોય છે ને !!
કોઇક પાસે વધુ તો કોઇક પાસે ઓછું ધનસંગ્રહ દેખાય છે
પણ એ ધનસંગ્રહ એની પોતાની બુદ્ધિક્ષમતા અને  એના દ્વારા, અન્યના કલ્યાણકારી ઉપયોગમાં આવશે એ આધારીત પ્રકૃતિદત્ત રહેલ હોય છે... એટલે અન્ય ની સરખામણી કરીને દુઃખી ના થવું...

ચિકિત્સક ગમે તે હોય,
પણ  પોતાની ફી તથા દવાખાનામાં થતાં ચિકિત્સાકર્મો નું મુલ્ય તેમજ અપાતી દવાઓ પરનો નફો દર્દી પાસે કેટલો વસુલવો એના નિશ્ચિત ધારા-ધોરણ એને નિર્ધારીત કરેલ હોતાં નથી ...

નવી નવી તબીબી પ્રેકટીસ શરૂ કરનાર, પોતાના પૂરોગામી ચિકિત્સકો, જે પ્રકારે સારવાર ખર્ચ તથા ફી વસુલતા હોય એની સાપેક્ષે નક્કી કરી લે છે, એમાંય પાછું વારેવારે દર્દીઓના ને સારવાર દરમિયાન થયેલ અસંતોષની લાગણીઓને માન આપીને બાંધ-છોડ  કરતાં હોય છે...

ડૉક્ટરોને ઉપદેશાય છે કે,
क्वचिद्धर्म क्वचिन्मैत्री क्वचिदर्थः क्वचिद्यशः  
कर्माभ्यासः क्वचिच्चेति नास्ति निष्फला ।।
          કયારેક ધર્મ, કયારેક મૈત્રી, કયારેક અર્થ, કયારેક યશ અને કયારેક અભ્યાસ, આમ કયારેક ચિકિત્સા, નિષ્ફળ હોતી નથી...
પણ આજે, તબીબી ચિકિત્સકને પ્રેકટીશના ત્રણેક વર્ષ માં જ સમાજ સારી રીતે સમજાવી દે છે કે, 
ધર્મ, મૈત્રી, યશ અને અભ્યાસ બધાને મેળવવા સારામાં સારૂ ધન હોવું જોઇએ... 
ચિકિત્સક  ધનવાન હશે તો, સમાજ એને ધર્મ, મૈત્રી, યશ અને અભ્યાસ સામે ચાલીને આપે છે...

ચિકિત્સક અને દરદી તથા દરદીના સગાઓનો ધન બાબતે લોભ અને મોહને કારણે સારવાર ખર્ચ બાબતે હંમેશા અસંતોષ રહે છે, જે લાંબા સમયે, બંન્ને પક્ષે વૈમનસ્યનું કારણ બને છે. પછી એમાંથી બંન્ને ડૉક્ટર અને દર્દી તથા દરદીના સંબંધીઓને પરસ્પર અવિશ્વાસ, ક્રોધ અને હિંસાના ભાવ જન્માવે છે...

જો કે દરેક ચિકિત્સક ને અનુભવે સ્વિકાર્ય તો કરવું જ પડે છે, કે, જે ચિકિત્સા કર્મ માં ઉત્સાહ આવતો હોય અને સુખ મળતું  હોય તો  એ પૂર્ણ થયે દર્દી પાસેથી જે ધન મળે છે એ સંતોષ જ આપે છે... પછી એ અન્ય ની સાપેક્ષે અને નજર માં ક્ષુલ્લક કેમ ના હોય ?

અને આ રીતે ચિકિત્સક પાસે આવતું ધન, એ श्री लक्ष्मी હોય છે, જેના એના સંતાનો અને કુળ માટે શ્રેયકર હોય છે,
ઘણાં ધનવાન ચિકિત્સકોને,  સંતાનો ને વિદેશમાં શરૂઆતની તબીબી અભ્યાસ (ડીગ્રી) મેળવવા માટે મોકલવા પડતા હોય છે અને ત્યાંથી પરત આવીને પણ એ સંતાનો એમના જેટલું ધન તો શું , પ્રતિષ્ઠા પણ કમાવી શકતાં નથી...

અને આ,  વ્યવસાય દ્વારા પ્રાપ્ત થતી श्री लक्ष्मी નું ફેકટર જીવન ના દરેક આજીવિકાના ક્ષેત્ર માં સમાન રીતે લાગું પડે છે...
ઘણાં સુપર સ્ટારના સંતાનો ફિલ્મ ક્ષેત્રે નિષ્ફળ જતાં જોવા મળે છે એ રીતે સુપ્રસિદ્ધ  અતિધનવાન સફળ, સંગીતકાર, બિઝનેસમેન કે વૈજ્ઞાનિક સંશોધક, કે પછી કથાકારના સંતાનો પણ ધન અને યશની બાબતે નિષ્ફળતા મેળવેલ હોય છે...

કોઇપણ વ્યવસાય દ્વારા પ્રાપ્ત થતુ ધન એ શ્રીલક્ષ્મી તરીકે સિદ્ધ થાય એ માટે વ્યવસાયકારે प्रज्ञावान થવું જરૂરી છે... એ જ રીતે ગ્રાહક તરીકે સેવાઓ લેનાર તરીકે સામાન્ય પ્રજા એ લોભ અને મોહ છોડીને प्रज्ञावान થવું એટલું જરૂરી છે..

सर्वे भवन्तु सुखिनः 
                            सर्वे सन्तु निरामया। 
सर्वे भद्राणि पश्यन्तु 

                            मा कश्चित् दुःखभाग् भवेत्।।



ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...