બુધવાર, 19 જૂન, 2019

મુડ બદલો વગર દવાએ

1. Endorphins,
2. Dopamine,
3. Serotonin,
અને 4. Oxytocin.

આ ચાર પ્રકારના મસ્તિષ્કમાં ઝરતાં અતઃસ્ત્રાવો એ માનવ માટે જ નહી પણ દરેક પ્રાણીમાત્ર  માટે ખુશી અને  આનંદી સ્વભાવનું જવાબદાર કારણ બને છે એવું આધુનીક તબીબીવિજ્ઞાનના સંશોધનકારો એ સાબીત કરેલ છે.

આ ચારેય નો આજે સેન્થેટીક- કેમીકલ સ્વરૂપે મેડિસીન તરીકે પણ બહોળાં પ્રયોગ કરવામાં આવે છે...

આ પોસ્ટ દ્વારા  જાણીએ કે,
 આપણી ખુશીનું કારણ બનનારા આ હોર્મોન્સ કુદરતી રીતે જ દવા વિના આપણે આપણા મસ્તિષ્કમાં કેવી- કેવી ક્રિયાઓ દ્વારા પેદાં કરી શકીએ...

 Endorphins જયારે આપણે હળવી કસરત અથવા એરોબીકસ નામે ઓળખાતી કસરત કરીએ છીએ ત્યારે  શરીર  જાતે જ  Endorphins ને પેદાં કરે છે...
નવરાત્રી કે લગ્નપ્રસંગે થતાં ગરબા પણ આવા જ પ્રકારની એક કસરતના ભાગ રૂપે છે જેથી આપણને ખુશી મળતી હશે...
આ અતઃસ્ત્રાવની અસર હેઠળ શરીર ને દરદનો એહસાસ થતો નથી આથી તો કદાચ ગરબે રમતાં ખૈલેયા થાકતાં નથી....

હાસ્ય અથવા ખડખડાટ બાળકની જેમ હસવું પણ આ હોર્મોન્સ ને પેદાં કરે છે બાળકો પણ ધીંગામસ્તી થી થાકતા હોતાં નથી.

તો મિત્રો દરરોજ થઇ શકે તો 30 મીનીટ હળવી કસરત કરો અને ચહેરા પર મુસ્કરાહટ - હાસ્ય આવે એવી પ્રવૃતી કરો અથવા નિહાળતા રહો...

Dopamine આ હોર્મોન્સ અંદરના ઉત્સાહને પ્રગટાવી જુસ્સો કાયમ રાખે છે એટલે  આમાં અન્ય વ્યક્તિ દ્વારા આપણાં કામની પ્રશંસા થાય ત્યારે,  એ સાંભળીને આપણામાં ડોપામાઇન સ્ત્રવે છે.
ગુજરાતી માં જેને પોરસાવવું કહેવાય છે. 
આથી દરેક ને એના કામ માટે બિરદાવવા જોઇએ.
કામ ભલે નાનું હોય તો પણ તેની યોગ્ય કદર કરવી જોઇએ.
જયારે આપણે નવીન વસ્તુ ખરીદીએ કે, નિર્માણ કરીએ છીએ ત્યારે અન્યને એ દેખાડીએ છીએ અને એ જોનાર વ્યક્તિ જયારે એની પ્રશંસા કરે કે બિરદાવે ત્યારે આપણા શરીર માં સ્વતઃ ડોપામાઇન પેદાં થાય છે...

આપણે,  અન્ય ના કરેલાં કામને વખાણીશું તો એ પણ આપણાં કામ ને વખાણશે...
આપણે તો દેવો ની પણ સ્તુતિ કરીએ છીએ તો ઘર પરિવાર ના સભ્યો ની તો કરી જ શકીએ ને..

Serotonin જયારે આપણે કોઇને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ ભાવના આ સેરોટેનીન અતઃસ્ત્રાવ  આપણા શરીર માં ઉત્પન્ન થવાને કારણે આવે છે..
જેમ અન્યને મદદરૂપ થવાથી નિસ્વાર્થ કાર્ય અને ભાવના થતી રહે એમ સેરોટેનીનના પ્રભાવથી વ્યક્તિ ખુશમિજાજી રહે છે...
આજે  સોશીયલ મિડિયાના માધ્યમથી અદ્ ભૂત અને ઉપયોગી જાણકારીઓ પીરસતાં વ્યક્તિઓમાં પણ એમના આ કાર્ય થી સેરોટોનીન સ્ત્રવે છે અને એમને ખુશી મળતાં તેઓ વધુ ને વધુ પોસ્ટસ શેર કરતાં જાય છે...

Oxytocin આ અંતઃસ્ત્રાવ  ગમતી વ્યક્તિના સાંનિધ્યથી શરીર માં પેદા થાય છે... આલિંગન, ચુંબન, હસ્તધૂનન વિગેરે  પરસ્પર ના શારીરિક સ્પર્શથી ઓક્સિટોસીન હોર્મોન્સ  સ્ત્રવે છે...
માઁ ને,  શિશું ના શરીરનો સ્પર્શ થતાં જે ધાવણની ધારાઓ વછૂટે છે એ આ ઑક્સિટેશન ની અસર તળે હોય છે એવું વૈજ્ઞાનિકો એ શોધી કાઢેલ છે. જો  કે, કેટલાંક પશુપાલકો એ એનો દૂર ઉપયોગ કર્યો  છે . દૂધ દોહ્વા પાલતુ દુધાળાં જાનવરને ઓક્સિટોસીન ના ઇંજેકશન ની આદત પાડી દિધેલ છે...
જયારે આપણાં બચ્ચાં ખીજવાયેલા હોય, વ્યથીત હોય ત્યારે એમનો એ મુડ સુધારવા એમને ભેટી પડવું, હૂંફ આપવી, બાથમાં લઇ લેવાં એનાથી એમના શરીર માં ખુશી લાવતા હોર્મોન્સ સ્ત્રવશે  અને રોષરહિત  શાંત થશે.

તો મિત્રો,
 રોજીંદી કસરત એન્ડોરફીન પેદાં  કરશે  બાળકો ને પણ ટી.વી મોબાઇલ માંથી થોડાંક દૂર કરીને મેદાન જઇ રમતો રમવાં પ્રોત્સાહિત કરવાં...

નાના નાના લક્ષ્યાંકો નક્કી કરી એને પાર પાડવા તથા એનું પણ શેરીંગ કરવાથી ડોપામાઇન શરીર માં સ્ત્રવે છે આપની આ ટેવ થી આપનાં બચ્ચાં પણ અનુકરણ કરશે અને એ પણ  ઉર્જાવાન બનશે.

અન્ય ને યોગ્ય સમય અને સંજોગો માં બનતી મદદ કરવી એનું પણ અનુકરણ આપણાં બચ્ચાં કરે જ છે જેથી સેરેટોનીન પેદાં થશે...

અને છેલ્લે આપણાં વડીલોની પગચંપી કરવી... ગળે મળવું તથા આપણાં બચ્ચાંઓને પણ ભેટવું એ  આપણાંમાં અને એમનામાં ઑક્સિટેશન પેદાં કરનાર પરિબળ બને છે...

... ગમતાં નો કરીએ ગુલાલ....

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...