ગુરુવાર, 8 નવેમ્બર, 2018

કાળી ચોદશ - नर्क चतुर्दशी કે रूप चतुर्दशी ?

....અન્ય નો ડર અને ગભરાટ ( મનનો ઉચાટ ) એ
    અન્યના માટે ધન-કમાઇનું સાધન બને છે.
આ  સદીઓથી સાબીત થયેલ તથ્ય છે...
કોઇપણ ક્ષેત્રમાં ચિંતન કરી જુઓ...
ચિકિત્સાજગતમાં તો આના ઉદાહરણ તાજા મળશે
એ ઉપરાંત હોમ-એપ્લાઇન્સના સાધનો ખોટવાય ત્યારે રીપેરીંગ કરતી કંપનીના માણસો પણ  આ તથ્યોને મહંદઅંશે અનુસરે છે અનુભવ દરેક ને હશે જ.
   થોડુંક ઊંડુ ચિંતન કરીએ તો, આપણે... આપણાં દેવી-દેવતાંઓને "અભય વરદ હસ્ત મુદ્રા" માં કલ્પ્યા અને મૂર્તિઓ બનાવી... બધાએ આયુધો એમને પકડાવી  દીધા... અને માથું નમાવી બે હાથ જોડીને મૂર્તિઓ સમક્ષ વિવિધ યાચના અને પ્રાર્થનાઓમાં  મૂળ માં તો  "અભય" ની ખેવનાકરીએ છીએ.
 સ્વયંનો અને અંતઃકરણથી ઉત્પન્ન થયેલ "અભય"  મહત્વની વસ્તુ છે. અભય યથાર્થ સમજથી આવે છે અને સમજનું જ્ઞાન
કરતાં ધ્યાનપૂર્વક ના કર્મથી આવે છે.

નર્ક ચતુર્દશી ને રૂપ ચતુર્દશી માં બદલાવીએ...
અભય થઇએ અને અભય કરીએ...

આપણે ત્યાંજ નહિ પણ વિદેશોમાં પણ અભયની ટ્રેનિંગ રૂપે હેલોવીન ડે ની ઉજવણી થાય છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...