બુધવાર, 19 જૂન, 2019

મેટાફીઝીકસ ની દ્રષ્ટિકોણ થી અંક 9 અને 7

મેટાફીઝીકસનો નિયમ અંક ९ સ્ત્રીત્વ ને અનુસરે છે, જયારે નિયમ અંક  ७ પુરૂષત્વને અનુસરે છે.
કલા અને સંશોધન  ક્ષેત્રે જે લિંગભેદ નો  રેશીયો  છે એની પાછળ નું  આ એક કારણ છે...
બ્રહ્માંડ 360° ધરાવે છે... नक्षत्र ની સંખ્યા 27, રાશિઓ બાર અને દરેક  નક્ષત્ર પ્રમાણે ચાર ચરણ માં રાશીઓ ને વહેંચી ને જે  વર્તુળ માં ભૌમીતીક આકાર રચાય છે એ ઠીક ગોડ પાર્ટીકલ્સ ની રચના સદ્દશ હોય છે તત્વો  ની સંખ્યા માં   108 નો જે આંક છે એ પણ અહીંયા સંબંધિત અને સમન્વય કરે છે...

આ બધા આંકડા મૂળ તો ક્રમાંક 9 ને અનુસરે છે 9 એવો આંક છે જેમાં ગુણાંક કરવામાં આવે કે ગુણાંક થયેલ માંથી બાદ કરવામાઅં આવે તો આવનાર સંખ્યા નો કુલ યોગ 9 થાય છે  ઇશાવાસ્ય ઉપનિષદ નો મંત્ર  पूर्णमदः पूर्णम् इदं पूर्णात् पूर्णम् उदच्यते। पूर्णस्य पूर्णम् आदाय पूर्णम् एव अवशिष्यते॥  એટલે કે સર્વ સ્થિતી માં પૂર્ણ જ રહે છે.

હવે જુઓ સ્ત્રીત્વ 9 ને અનુસરે છે સ્ત્રી ના જે પણ શારીરીક વય , સામાજીક, કે ભાવનાત્મક દ્રષ્ટિકોણ થી સ્વરૂપો છે એ આ ઇશાવાસ્ય ઉપનિષદ ના મંત્ર ને યથાર્થ કરે છે...

છેલ્લે..
 नारी શબ્દ ની સંસ્કૃત ની વ્યુત્પતિ જાણવા જેવી છે..
नुः नरस्य वा धर्म आचारोऽस्याम् ।

સંસ્કૃત માં नुः એ *વિતર્ક* માટે વપરાય છે...
नरस्य નો અર્થ તો સમજાઇ જશે ને ..
જે નર એટલે કે  વ્યક્તિ માટે હંમેશા એક કોયડો છે એ નારી....

પછી ની બીજી વ્યુત્પતિ ના અર્થ માં નારીનું ઊંચુ સામાજીક મુલ્ય  બતાવેવ છે... 

જે ધર્મ અને આચાર નું પ્રતિક,  પ્રેરણા અને વાહક છે એ નારી છે...
નારીએ  ભટકેલા... આચાર અને  ધર્મ થી પતીત થયેલ વ્યક્તિ ને ધારે તો પુનઃ સદ્ માર્ગ પર લાવી શકે છે અને ચલાવી શકે છે  માટે તો એને
નારી તું નારાયણી કહેવાઇ  છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...