શુક્રવાર, 2 નવેમ્બર, 2018

આસો વદ અગિયારસ - રમા એકાદશી અને કેળાં.

     આસો વદ અગિયારશને रमाएकादशी કહેવાય છે. પૌરાણીક કથામાં, રાજામુંચકુંદની દિકરી ચંદ્રભાગાના પતિ શોભનને ફરજ પડવાથી અગિથારશનો ઉપવાસ કરવો પડે છે. જેના પ્રતાપે એનો સર્વસુખથી સંપન્ન પણ અસ્થિરતાવાળી મંદ્રાચલપર્વત પર દેવપુરનામે નગરીમાં એનો વાસ થાય છે.આ નગરીમાં સુખોની અસ્થિરતાં, એની પત્ની ચંદ્રભાગાના વ્રતપ્રભાવથી દૂર થયાં હતાં અને દંપતિને સ્વર્ગસુખની પ્રાપ્તિ થઇ હતી, તેથી આ એકાદશીનું નામ રમા એકાદશી પડયું છે. "રમા" નો એક અર્થ સમૃદ્ધિ થાય છે. સદ્-ભાગ્યનીદેવી શ્રીલક્ષ્મીને રમા કહેવાઇ છે. જે વિષ્ણુપત્નિછે અને શ્રીહરિ પણ રમાથી ઓળખાય છે જેમકે रमाकांत, रमापति, रमारमण. આ એકાદશી, "ધર્મપત્નીથી જ સદ્-ભાગ્ય પ્રાપ્ત થાય છે અને પત્ની જ પરમસુખ-સમૃદ્ધિ સાથે મંગલમયદાંમ્પત્યનું ઉત્પતિકારણ છે." એવો સંદેશ આપે છે.
     સ્વાસ્થયની દ્રષ્ટિએ રમા-એકાદશીમાં કેળાંનું માહત્મય દર્શાવેલ છે, શ્રી હરિને કેળાંનો અર્ધ્ય આપવાનું શાસ્ત્રીય વચન છે. કેળાંને સંસ્કૃતમાં कदली, मोच અને रम्भा ફળથી ઓળખવામાં આવે છે આયુર્વેદિય દ્રષ્ટિકોણથી કેળું, हृद्यं मनोज्ञं कफवृद्धिकारि शीतःच सन्तर्पणं एव बल्यम्। रक्तं सपित्तं श्वसनः च दाहं रम्भाफलः च अपि नरस्य हन्ति ॥ अपक्वकं ग्राहि च शीतलः च कषायकं वातकफं करोति । विष्टम्भि बल्यं गुरु दुर्ज्जरःच आरण्य रम्भाफलं एव तद्वत्  ।। पक्व कदलीफलगुणः कषायत्वम् । मधुरत्वम् । शीतलत्वम्। पित्तास्रविमर्द्दनत्वम् । गुरुतरत्वम् । मन्दानले अपथ्यत्वम् । सद्यः शुक्रविबर्द्धनत्वम् । क्लमतृष्णाहरत्वम् । कान्तिदातृत्वम् । दीप्ताग्नौ सुखदत्वम् । कफामयकरत्वम् । सन्तर्पणत्वम् । दुर्ज्जरत्वञ्च ॥ કેળાંના આ ગુણકર્મ આધુનિકતબીબી વિજ્ઞાનના સંશોધનકારોએ પણ કર્માભ્યાસના અંતે સ્વિકાર્ય કર્યા છે Bananas are effective at increasing spermcount, they contain a rare enzyme called bromelain which is responsible for regulating sex hormones. They are also a rich source of vitamins B6, A and C. These essential vitamins help the body enhance its sperm producing ability and increases stamina significantly.
     આજે સીડલેસ કેળાં આવે છે જેનું વૈજ્ઞાનિકનામ,Musa  Paradisiaca છે પણ એ બે જંગલી પ્રજાતી કે  જેનાં કેળાંઓમાં દાણાં આવતાં એનું હાઇબ્રીડ રૂપ છે. એ પ્રજાતીઓને Musa Acuminata અને Musa Balbisiana નામે ઓળખાય છે . વનસ્પતિઓના આધુનિક દ્રષ્ટીએ વ્યવસ્થિત વર્ગીકરણ ના પિતા Linnaeus કેળાંના બે સમુહમાં વર્ગીકૃત કરે છે એક છે cooking bananas જેમાં Musa paradisiaca અને બીજું dessert bananas. જેમાં Musa sapientumનો સમાવેશ થાય છે. કેળાંની સોળથી પણ વધુ પ્રજાતીઓ પ્રાચીન ભારતમાં જોવા મળતી હતી. કેળાં એ કુદરતી વર્ગ Scitamineae ની વનસ્પતિ છે આ કુળમાં  હળદર, આંબાહળદર, કપૂરકાચલી, ઇલાયચી, આદું જેવી વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે.
      મંદાગ્નિવાળાંને કેળાં પચવા અઘરાં છે આથી જો કેળાંનું અર્જીણ થાય તો  ઇલાયચીના દાણાં ચાવીને ખાવા એ એનું મારણ છે.  કદમાં નાના કેળાં ની એક જાત ને "એલચીકેળાં" પણ કહેવાય છે. ગુજરાતમાં વેરાવળથી જુનાગઢ ના માર્ગ પર શેરબાગ-ગડુ પાસે આ કેળાં ની ઘણી હાટડીઓ જોવાં મળે છે દક્ષિણભારત માં આ ઇલાયચી કેળાં ને Yelakki Banana નામે ઓળખાય છે.  કેળાંમાં લોહતત્વ હોય છે પણ કુદરતી રીતે પાકેલહોયતો, કુદરતી રીતે પાકતાં કેળાંમાં બ્રાઉન-કાળાં, જે ડાઘ પડે છે એ લોહતત્વનું ઓક્સિડેશન દર્શાવે છે. 
      આજનાયુગમાં હૃદરોગ, હાઇપરટેન્શન, લોહીનુંઊંચુદબાણ, ડાયાબીટીસ, પુરૂષવંધ્યત્વ જેવાંઆધુનિક વ્યાધિવિકારોમાં કેળાં એ ઉત્તમ, સુલભ અને કાર્યક્ષમ આહાર-ઔષધ છે. આધુનિક સંશોધનકારો લખે છે કે,
Bananas can be helpful in overcoming depression "due to high levels of tryptophan, which the body converts to serotonin, the mood-elevating brain neurotransmitter," Plus, vitamin B6 can help you sleep well, and magnesium helps to relax muscles.
      કેળના પુષ્પ, પત્ર, ફળ અને થડ તમામનો જુદાં-જુદાં ઔષધી ઉપયોગ છે. જેમાં ડાયાબિટીકદર્દીઓમાં કેળનાપુષ્પો ઉપયોગી છે, તો પુરૂષવંધ્યત્વના દરદીઓને એનાં કુદરતીરીતે પાકેલા ફળો. પાંદડાનો રસ પેટની નવીન બિમારીઓમાં તથા થડની અંદર રહેલ સ્ટાર્ચ તથા પાણી એ જટીલ અન્નમાર્ગ તથા મૂત્રમાર્ગના રોગોની ઉત્તમ ઔષધી છે.
      મૂળ સંસ્કૃતશબ્દ कदली પરથી ગુજરાતીમાં "કેળ" શબ્દ આવે છે. જેનો અર્થ નાજુક, સુકોમળ, નિરૂપદ્રવી, નિર્દોષ, થાય છે કેળના અર્થ, ગુણકર્મ અને રૂપ "रमा" સદ્દશ જ હોય છે એટલે रमाएकादशीમાં કેળાં નું મહત્વ શાસ્ત્રોમાં આરોગ્ય અને સૌભાગ્ય દ્રષ્ટિકોણથી દર્શાવેલ છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...