બુધવાર, 19 જૂન, 2019

ખજૂર

મિત્રો,  ઇમેજ માં દર્શાવેલ ખજૂર  એ કચ્છ નો  મેવો છે.  જો કે  આ બસરા અને  અફઘાનિસ્તાન  પ્રાંત નુ મૂળનિવાસી વૃક્ષ ની  સંકર ક્વોલિટી  છે.  આપ જે જોઇ રહ્યા છો  એ 3" કદ અને આશરે  25 ગ્રામ  વજન ધરાવતુ,  નાના બીજ  ને વધુ મજ્જા ધરાવતુ ફળ છે. 
🔵આયુર્વેદ  માં આચાર્ય ચરકે  શ્રમહરદશેમાની ( એટલે તુરંત  થાક દૂર કરનાર ) માં ખજૂર નો સમાવેશ કરેલ છે.  અહી આપે  દરેક પ્રયોગ માં પીંડખજૂર સમજવી .
      ખજૂર  ના ગુણો  બલ્ય અને મૂત્રલ બતાવેલ છે.
🔵આચાર્ય ચરકે વાજીકરણ માં ઇન્દ્રોકત રસાયન માં ખજૂર દર્શાવેલ છે. આજે પણ  ગલ્ફ ના દેશો માં વાજીકરણ ના પ્રયોગ  માં ખજૂર નુ મહત્વ ઘણુ છે.
🔵આચાર્ય સુશ્રુત  પ્રમેહ ની ચિકિત્સા માં ખજૂર ના પ્રયોગ બતાવેલ છે
જો તમને ડાયાબિટીસ હોય  તો પણ  નિશ્ચિત પ્રમાણ  સુશ્રુત પ્રમાણે  ખજૂર નુ સેવનઅત્યારે  સિઝન માં કરી શકો છો.
🔵હેડકી ની સારવાર માં સરખા પ્રમાણ માં ખજૂર ના ઠળિયા નુ ચૂર્ણ તથા લિંડીપિપર  મધ સાથે ચાટવા નો   પ્રયોગ સુશ્રુત માં  બતાવેલ છે.
🔵1885 માં ડૉ.બોનવિયા નો  The future of the DATE PALM in India  માં નોંધ છે કે,  જે દેશો માં વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યાં ખજુરી વાવો, આગલા 15 વર્ષ  માં  જમીન , વરસાદ અને પ્રજા ની સ્થિતિ સારી  થશે
જો કે  આ તથ્ય  કચ્છ પ્રદેશ  માટે  વર્તમાન માં સંપૂર્ણ  સત્ય સાબિત  થઈ  રહ્યુ છે.
ખજૂરી એ નાળિયેરી થી પણ વધુ  પોષણ દાયક અને આર્થિક રીતે  સમૃદ્ધ કરનાર છે.
એની વિશેષતા એ  છે કે ગમે તેવા દુષ્કાળ માં  ટકી રહે છે અને  પ્રજા નુ શારીરિક પોષણ પોતાના મધુર ફળો થી કરે છે  અને અતિવૃષ્ટિ  માં પણ નુકસાન ને પામતુ નથી.
🔵નિરો એ ખજૂરી નો તાજો રસ છે.  જે  ગોનોરીયા નામની જટીલ  બિમારી નો ઉત્તમ ઇલાજ  છે.
🔵ખજૂર એ વાતપિત નાશક છે.
🔵કેટલીક બહેનો  ખજૂર ને ગરમ માને છે તો  તેના સ્પષ્ટીકરણ  માં બે બાબત છે. 
1. આધુનિક વિશ્લેષણ પ્રમાણે ખજૂર માં લોહ તત્વ નુ ઉંચું પ્રમાણ છે, અને આજના સમય  માં  મોટાભાગ ની બહેનો માં લોહતત્વ ઓછુ જોવા મળે  છે. તો સમજી ગયા ને. ..
2. Palm sugar  એ ખજૂરી  માંથી નિર્માણ કરાય છે  અને પરંપરાગત રીતે તામિલનાડુ માં સદીઓ થી સુખપૂર્વક ની પ્રસવાસ્થા અને ગર્ભાવસ્થા તથા  માસિક દરમિયાન થતી તકલીફો ના નિવારણ અર્થે ઔષધ  તરીકે  વપરાય  છે.
અને  ગુજરાત માં પણ દિકરી ના લગ્ન તથા સિમંત પ્રસંગે ખારેક  પૂજા વિધિ અને અંતે પ્રસાદ તરીકે  પરંપરાગત વપરાય છે.  આ  ખારેક એ હાલ સિઝન માં મળતી પીળી  અને નારંગી  ખજૂર નુ શુષ્ક  સ્વરૂપ છે.
🔵વધુ પ્રમાણ માં તાજી ખજૂર મોઢા ને આળુ કરી દે છે.  પીંડખજૂર જલદી જલદી  આરોગવાથી છાતી દાહ ની અનુભૂતિ થાય છે.  પણ આ માત્ર પરિસ્થિતિ જન્ય છે. ખજૂર ગરમ નથી  કે  પિત વર્ધક પણ નથી 
તો મિત્રો,
એકાદ મહિના  ની સિઝન  નો લાભ લ્યો. ..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...